અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 જુલાઈએ ગુજરાતની ટૂંકી મુલાકાત લેવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 જુલાઈએ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગુજરાત આવવાના છે. પીએમ મોદી માત્ર ત્રણ કલાક માટે ગુજરાતમાં આવશે. અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી સીધા રાજભવન પહોંચશે. ત્યારબાદ મહાત્મા મંદિર ખાતે આયોજીત ડિજિટલ ભારત સપ્તાહની શરૂઆત કરાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગરમાં યોજાશે ડિજિટલ ભારત સપ્તાહ કાર્યક્રમ
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 4 જુલાઈથી ડિજિટલ ભારત સપ્તાહ કાર્યક્રમની શરૂઆત થવાની છે. આ કાર્યક્રમની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરાવશે. ડિજિટલ ઈન્ડિયા વીક 2022 (Digital India Week 2022) નું ઉદ્ઘાટન પીએમ મોદી કરશે. જેની થીમ 'નવા ભારતની ટેકનોલોજીનું ઉત્પ્રેરક' કરવું છે. કાર્યક્રમ દરમિયાન તે ટેક્નોલોજીની પહોંચ વધારવા, જીવનને સરળ બનાવવા માટે સેવા વિતરણને વ્યવસ્થિત કરવા અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ડિજિટલ પહેલ શરૂ કરશે.  


પ્રધાનમંત્રી 'ડિજિટલ ઈન્ડિયા ભા।ષીની' લોન્ચ કરશે જે ભારતીય ભાષાઓમાં ઈન્ટરનેટ અને ડિજિટલ સેવાઓની સરળ ઍક્સેસને સક્ષમ કરશે, જેમાં વૉઇસ-આધારિત ઍક્સેસનો સમાવેશ થાય છે અને ભારતીય ભાષાઓમાં સામગ્રીના નિર્માણમાં મદદ મળશે. ભારતીય ભાષાઓ માટે AI આધારિત ભાષા ટેક્નોલોજી સોલ્યુશન્સ બનાવવામાં મુખ્ય હસ્તક્ષેપ બહુભાષી ડેટાસેટ્સનું નિર્માણ હશે. ડિજિટલ ઈન્ડિયા ભાશિની ભાષાદાન નામની ક્રાઉડસોર્સિંગ પહેલ દ્વારા આ ડેટાસેટ્સનું નિર્માણ કરવા માટે વ્યાપક નાગરિક જોડાણને સક્ષમ બનાવશે.


આ પણ વાંચોઃ ડિજિટલ ક્રાંતીથી થશે હરિયાળી ક્રાંતી, ખેડૂતોને હવે ઘર બેઠાં મળશે તમામ સુવિધા, સરકારે લોન્ચ કર્યું પોર્ટલ


પ્રધાનમંત્રી ‘ડિજિટલ ઈન્ડિયા જીનેસિસ’ (ઈનોવેટિવ સ્ટાર્ટઅપ માટે જનરલ નેક્સ્ટ સપોર્ટ) - એક રાષ્ટ્રીય ડીપ-ટેક સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ, જે ભારતના ટિયર-II અને ટિયર-III શહેરોમાં સફળ સ્ટાર્ટઅપ્સને શોધવા, સમર્થન આપવા, વૃદ્ધિ કરવા અને બનાવવા માટે લોન્ચ કરશે. આ યોજના માટે કુલ ₹750 કરોડના ખર્ચની પરિકલ્પના કરવામાં આવી છે.


પ્રધાનમંત્રી ‘Indiastack.global’ પણ લોન્ચ કરશે - આધાર, UPI, ડિજીલોકર, Cowin વેક્સિનેશન પ્લેટફોર્મ, ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ (GeM), DIKSHA પ્લેટફોર્મ અને આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન જેવા ઈન્ડિયા સ્ટેક હેઠળ અમલમાં મૂકાયેલા મુખ્ય પ્રોજેક્ટ્સનું વૈશ્વિક ભંડાર છે. ગ્લોબલ પબ્લિક ડિજિટલ ગૂડ્ઝ રિપોઝીટરીને ભારતની આ ઓફર વસ્તીના ધોરણે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટ્સનું નિર્માણ કરવામાં ભારતને અગ્રેસર તરીકે સ્થાન આપવામાં મદદ કરશે અને આવા ટેક્નોલોજી સોલ્યુશન્સ શોધી રહેલા અન્ય દેશો માટે ખૂબ મદદરૂપ સાબિત થશે.


પ્રધાનમંત્રી નાગરિકોને ‘MyScheme’ સમર્પિત કરશે - એક સેવા શોધ પ્લેટફોર્મ જે સરકારી યોજનાઓ સુધી પહોંચવાની સુવિધા આપે છે. તેનો ઉદ્દેશ્ય વન-સ્ટોપ સર્ચ અને ડિસ્કવરી પોર્ટલ ઓફર કરવાનો છે જ્યાં વપરાશકર્તાઓ તેઓ માટે લાયક હોય તેવી સ્કીમ શોધી શકે. તે નાગરિકોને ‘મેરી પહેચાન’ પણ સમર્પિત કરશે- વન સિટીઝન લોગિન માટે નેશનલ સિંગલ સાઈન ઓન. નેશનલ સિંગલ સાઇન-ઓન (એનએસએસઓ) એ એક વપરાશકર્તા પ્રમાણીકરણ સેવા છે જેમાં ઓળખપત્રનો એક સમૂહ બહુવિધઑનલાઇન એપ્લિકેશનો અથવા સેવાઓની ઍક્સેસ પ્રદાન કરે છે.


માત્ર ત્રણ કલાક ગુજરાતમાં રોકાશે પીએમ મોદી
પીએમ મોદી ગુજરાતના ટૂંકા પ્રવાસે આવવાના છે. ડિજિટલ ઈન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદી દિલ્હી પરત ફરશે. એટલે કે પીએમ મોદી બપોરે 3 કલાકે અમદાવાદ એરોપોર્ટ પહોંચશે અને સાંજે છ કલાકે દિલ્હી માટે રવાના થઈ જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube