જૂનાગઢ : જગવિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેનની વરણી માટે આજે સાંજે ટ્રસ્ટીઓ વચ્ચે વર્ચ્યૂઅલ બેઠક મળી હતી. જેમાં વડાપ્રધાનમોદીની સર્વાનુમતે ટ્રસ્ટના નવા અધ્યક્ષ તરીકે જાહેરાત કરવામાં આવી હતી. મોદીને એક વર્ષનાં કાર્યકાળ માટે અધ્યક્ષ બનાવાયા હતા. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી દેશના બીજા વડાપ્રધાન છે જેમણે સોમનાથ ટ્રસ્ટનાં ચેરમેનની જવાબદારી સંભાળી હોય. તેમની અગાઉ મોરારજી દેસાઇ પણ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન રહી ચુક્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમારી દિકરીનું ગોત્રી મેડિકલ કોલેજમાં થઇ જશે, કહી ઠગ હર્ષિલ લિંબચીયાએ કરી લાખો રૂપિયાની ઉચાપત


સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના જણાવ્યા અનુસાર સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ વચ્ચે આજે વર્ચ્યુઅલ બેઠક મળી હતી. જેમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને વડાપ્રધાન મોદીની અધ્યક્ષ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. નોંધનીય છે કે, અગાઉ બે વખત જે અનિવાર્ય સંજોગોના કારણે ફરી બેઠક મુલતવી રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ બે વખત જે અનિવાર્ય સંજોગોના કારણે ફરી એકવાર બેઠક મુલતવી રાખવામાં આવી હતી. 


અનોખો ઠગ! મોંઘી ગાડીની ચોરી કરતો તે પહેલા ગાડીના માલિકને જાણ પણ કરતો


ત્રણ મહિના પહેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન એવા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું અવસાન  થયા ચેરમેન પદ ખાલી પડ્યું હતું. જેથી ટ્રસ્ટના નવા ચેરમેનની નિમણુંક કરવા માટે આજે સાંજે 06.30 વાગ્યે ટ્રસ્ટીઓની વર્ચ્યુઅલ બેઠક મળી હતી. વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી સહિતનાં ટ્રસ્ટીઓ ઓનલાઇન જોડાયા હતા. બેઠકમાંનવા ચેરમેનની વરણીના એજન્ડા સાથે સોમનાથમાં ચાલકા વિકાસ કામોની ચર્ચાઓના એજન્ડાની દર ત્રણ મહિને રૂટીન બેઠક હોવાનું ટ્રસ્ટ જીએમ દ્વારા જણાવાયું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube