• આજે પ્રધાનમંત્રી ગુજરાતીઓને આપશે 1100 કરોડની ભેટ, જેમાં વિકાસના અનેક કામોનુ તેઓ લોકાર્પણ કરશે 

  • એક સમયે પીએમ મોદી જ્યા ચા વેચતા હતા, તે રેલવે સ્ટેશનનું પણ લોકાર્પણ કરશે 


ઝી મીડિયા/બ્યૂરો :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે શુક્રવારે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે 1100 કરોડના કામોનું લોકાર્પણ કરશે. પુન:નિર્મિત ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન તેમજ પંચતારક હોટલના લોકાર્પણ સાથે જ ગુજરાતને અનેકવિધ વિકાસ કામો (Naye Bharat Ka Naya Station) ની ભેટ અપાવાની છે. વડાપ્રધાન આજે 4 વાગ્યે ગાંધીનગરનાં અદ્યતન નવીનીકરણ અને કાયાકલ્પ થયેલા ગાંધીનગર રેલવે સ્ટેશન (Gandhinagar Railway station) સહિત 8 જેટલા વિવિધ વિકાસલક્ષી કાર્યોનું નવી દિલ્હી ખાતે વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું હતું, કે ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધીની કનેક્ટિવિટી વધુ સુલભ બને. આ સપનું સાકાર થવા જઈ રહ્યું છે. ગાંધીનગરને મળી રહ્યું છે. રી-ડેવલપ્ડ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન…! આ આધુનિક સ્ટેશનની ટોચ પર છે 318 રૂમથી સજ્જ પંચતારક બિઝનેસ હોટેલ. આજે 16 જુલાઈએ સાંજે 4 વાગ્યે વડાપ્રધાન રી-ડેવલપ્ડ ગાંધીનગર કેપિટલ સ્ટેશન અને આધુનિક ફાઇવસ્ટાર બિઝનેસ હોટેલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. 


જ્યા ક્યારેક ચા વેચી હતી એ સ્ટેશનનું પણ ઉદઘાટન કરશે
પીએમ મોદી આજે વડનગર રેલવે સ્ટેશન (vadnagar railway station) નું વરચ્ચ્યુઅલ ઉદઘાટન કરશે. આ એ જ રેલવે સ્ટેશન છે, જ્યાં પીએમ મોદી ક્યારેય ચા વેચતા હતા. વડનગર રેલવે સ્ટેશનની કાયાપલટ થઈ છે. ઉદઘાટનની સાથે વડનગર બ્રોડગેજ સેન્ટ્રલ રેલવેના માધ્યમથી દેશના અન્ય ભાગો સાથે જોડાશે. તેને વડનગર-મોઢેરા-પાટણ હેરિટેજ સર્કટિ અંતર્ગત બનાવવામાં આવ્યુઁ છે. વડનગર સ્ટેશનની ઈમારત પથ્થરના નક્શીકામથી બનાવાઈ છે. સમગ્ર સ્ટેશનને હેરિટેજ લૂક આપવામાં આવ્યો છે. સ્ટેશન પર બે મુસાફર પ્લેટફોર્મ અને ફૂટઓવર બ્રિજ છે. આ સાથે જ મુસાફરો માટે કેફેટેરિયા અને વેઈટિંગ રૂમ પણ બનાવાયો છે. પીએમ મોદી (PM Modi) ના બાળપણ સાથે આ યાદો જોડાયેલી છે. જ્યારે તેઓ પોતાની ચાની કીટલી પર કામ કરતા હતા અને ટ્રેનના મુસાફરોને ચા આપતા હતા. 


સાથે જ સાયન્સ સિટી (Science City) માં નિર્માણ પામેલાં 5D થીએટર અને 11,600 થી વધું માછલીઓ ધરાવતી એક્વાટિક ગેલેરી, રોબો કેફે સહિત 202 રોબોટ્સ ધરાવતી રોબોટિક ગેલેરી અને મિસ્ટ ફોરેસ્ટ તથા 15 સ્કલ્પ્ચર ધરાવતાં નેચર પાર્કનું પણ વર્ચ્યુઅલ લોકાર્પણ .ગાંધીનગરથી વારાણસી વચ્ચે નવી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનનો વર્ચ્યુઅલ શુભારંભ. ગાંધીનગરથી વરેઠા વચ્ચે મેમુ સેવાનો વર્ચ્યુઅલ શુભારંભ. 


અમિત શાહ વીડિયો કોન્ફરન્સથી જોડાશે 
આ શુભ અવસરે ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી જોડાશે. તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભારત સરકારનાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્ય મંત્રી દર્શના જરદોશ અને રાજ્ય મંત્રીમંડળનાં મંત્રીઓ પણ પ્રત્યક્ષ જોડાશે.