ચેતન પટેલ/સુરત : વડાપ્રધાન મોદી આજે સુરતની મુલાકાતે છે. તેઓ દોઢ વાગ્યાના અરસામાં સુરત એરપોર્ટ પહોંચશે અને ત્યાં જ ઇન્ટરનેશનલ ટર્મિનલનું લોકાર્પણ કરી જાહેર સભાને સંબોધન કરશે. સભા બાદ વડાપ્રધાન નરેન્ડ મોદી કતારગામ સ્થિત વિનસ હિસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. 40 કરોડના ખર્ચે બનનાર વિનસ હોસ્પિટલનું આજે પીએમ મોદી લોકાર્પણ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ હોસ્પિટલ 112 વર્ષ જૂની છે. વર્ષ 1912માં અશક્ત અને નિરાધાર લોકો માટે દવાખાનું શરૂ કરાયું હતું અને ત્યાર બાદ વર્ષ 1948માં આ દવાખાનાને હોસ્પિટલમાં બદલવામાં આવી હતી. જોકે સમયની સાથે આ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની સારી ટેકનોલોજી અપગ્રેડ થઈ ન હતી. બાદમાં હીરા ઉદ્યોગકાર સેવતીલાલ શાહ દ્વારા આ હોસ્પિટલને અપગ્રેડ બનાવવાનો પ્રયાસ કરાયો. રૂ 40 કરોડના ખર્ચે અહીં અપગ્રેટેડ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. જે હોસ્પિટલનું આજે વડાપ્રધાન ઉદ્ઘાટન કરશે. 


ઉદ્ઘાટન બાદ તેઓ જાહેર સભાને સંબોધન કરશે. જેમાં 3 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે. તેમની સુરક્ષામાં 3278 પોલીસ કર્મીઓ અને અધિકારીઓ તૈનાત કરાયા છે. સાથે જ એસપીજીની ટીમો પણ તૈનાત રહેશે. 


ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે હોઈ તેમના આગમન પહેલા 12 જેટલા પાટીદારોની અટકાયત કરવામાં આવી છે. તેમજ કેટલાકને ઘરે જ નજર કેદ કરાયા છે. પોલીસની આ કામગીરીની સામે સુરત પાટીદારોમાં રોષ જોવા મળ્યો છે.