અમદાવાદ: અમદાવાદના પાલડી વિસ્તારમાં પ્રકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા આશાસ્પદ યુવકે નવમા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી હતી. યુવાન પુત્રની આત્મહત્યાથી પરિવારજનો પર આભ તૂટી પડ્યુ છે. યુવકે ધાબા પરથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. ત્યારે કાળજુ કંપાવી દે તેવી ઘટનાના CCTV ફુટેજ સામે આવ્યા છે. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલ બિઝનેસમેનના એકના એક પુત્ર સાહિલે BBA નો અભ્યાસ પૂર્ણ કરી થોડા સમય પહેલા પોતાના પિતાના ધંધામાં જોડાયો હતો. ત્યારે માનસિક તણાવમાં યુવકે આત્મહત્યા કરી હોવાનુ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરના પરિમલ અંડરપાસ પાસેના પ્રકૃતિ એપાર્ટમેન્ટમાં નવમા માળે રહેતા 20 વર્ષીય યુવકે આપઘાત કરી લેતા પરિવારજનો પર આભ ફાટ્યું છે. ઘટના એવી બની કે આ ફ્લેટમાં રહેતો સાહીલ શૈલેનભાઇ શાહ નામનો યુવક થોડા સમય પહેલા જ બીબીએનો અભ્યાસ પૂર્ણ કરી તેના પિતા સાથે રિયલ એસ્ટેટના ધંધામાં જોડાયેલો હતો. સાહિલ તેના માતા પિતા અને બહેન સાથે રહેતો હતો અને તેમના પરિવારનો એકનો એક દિકરો હતો.


સવારે પરિવારે સાથે નાસ્તો કર્યો અને ત્યારબાદ અચાનક જ નવમા માળેથી સાહિલે પડતું મૂક્યું હતું. ફ્લેટના પાર્કિંગમાં બે લોકો ગાડી ધોવાનું કામ કરતા હતા તે લોકોએ અવાજ સાંભળતા જ દોડી આવ્યા અને પોલીસને તથા સાહિલના પરિવારને જાણ કરી હતી. પાલડી પોલીસે લાશનું પીએમ કરાવી આપઘાત પાછળનું કારણ જાણવા તજવિજ હાથ ધરી છે.