Yuvrajsinh Jadeja : ભાવનગર તોડકાંડ અને ડમીકાંડમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે યુવરાજના સાળા પાસેથી રકમ વસૂલ કરી છે. કાનભા ગોહિલ પાસેથી 38 લાખ રૂપિયા રિકવર કરાયા છે. કાનભા ગોહિલની બે દિવસ પહેલાં સુરતથી ધરપકડ કરી હતી. આરોપી કાનભા ગોહિલ પાસેથી પોલીસે 38 લાખ રૂપિયા રિકવર કર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચકચારી તોડકાંડ મામલે યુવરજીસિંહ જાડેજા પૂછપરછ ચાલી રહી છે. જેમાં કુલ 6 આરોપી પૈકી કાનભા ઉર્ફે પપુ ગોહિલની સુરતથી ધરપકડ કરાઈ હતી. કાનભાની પૂછપરછ દરમિયાન 38 લાખ જેવી માતબર રકમ પોલીસે રિકવર કરી છે. તોડકાંડ કેસમાં રૂપિયા 1 કરોડ રકમ નામ છુપાવવા મામલે યુવરાજસિંહ જાડેજાએ આ રૂપિયા લીધા હોવાનો આક્ષેપ કરાયો છે. પ્રકાશ ઉર્ફે પીકે તથા પ્રદીપ બારૈયાનું નામ છુપાવવા માટે 1 કરોડની ખડણી માંગી હોવાનું બહાર આવ્યું હતું. જેમાં શિવભદ્ર સિંહ ઉર્ફે શિવભાની વિક્ટોરિયા પ્રાઈમ નામની બિલ્ડીંગ ખાતે આ બેઠક થઈ હતી. જેમાં કમિશન એજન્ટ તરીકે રહેલા ઘનશ્યામ લાધવા અને બિપિન ત્રિવેદી મારફત 1 કરોડ રૂપિયા મેળવ્યા હતા. જે રૂપિયા પૈકીની અમુક રકમ શિવભાએ તેના ગોળીબાર પાસે રહેતા જીત માંડવીયાના ઘરે બેગમા તાળું મારી તે રૂપિયા મુક્યા હોવાની કાનભાએ પોલીસને જાણકારી આપી હતી. જે મુદ્દે પોલીસે કાનભા ગોહીલને સાથે રાખી આ રકમ રિકવર કરી હતી, જેમાં કમિશન પેટે અપાયેલ રકમ મેળવવા પોલીસ પૂછપરછ ચલાવી રહી છે.


ડિવોર્સ પછી પણ પતિ-પત્નીએ રંગરેલિયા કર્યા, પછી એવુ થયુ કે આખા પરિવારે થૂં થૂં કર્યું


સુરત આપ પાર્ટી યુવરાજના સમર્થનમાં
સુરત આમ આદમી પાર્ટી યુવરાજ સિંહના સમર્થનમાં આવી છે. આજે મોટી સંખ્યામાં આપના નેતાઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચી યુવરાજ સિંહને મુક્ત કરવા માટે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. યુવા અધિકાર ન્યાય ચળવળના નેજાં હેઠળ વિધાર્થીઓ પણ યુવરાજ સિંહના સમર્થનમાં આવ્યા હતા. આપ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા કે, યુવરાજ સિંહને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. યુવરાજ સિંહ જાડેજાને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. ભાજપ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને પર આવેદન પત્ર પાઠવ્યું હતું. 


Surat : બેફામ દોડતી રીક્ષાની અડફેટે યુવકનુ મોત, ત્રણ બાળકોએ પિતાની છત્રછાત્રા ગુમાવી


કચ્છના ગામડા ખાલી થવા લાગ્યા, માલધારીઓની હિજરત શરૂ, ખુદ સરપંચ ગામ છોડીને ગયા