પોરબંદર: પોરબંદરથી હરિદ્વારની યાત્રાએ નીકળેલા 6 યોત્રીઓને રજસ્થાનના પાલી જિલ્લા નજીક એક ટ્રેક અડફેટે લીધા હતા. આ ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય બે લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલીક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ગુજરાતના આ ગામના લોકો હોલીકા દહન સમયે બોલે છે અપશબ્દો, જાણો કેમ...


પ્રાપ્ત માહિતી અનુસાર, પોરબંદર જિલ્લાના 15 લોકોનું એક ગ્રુપ પોરબંદરથી હરિદ્વારની પદયાત્રાએ 6 માર્ચના રોજ નીકળ્યા હતા. ત્યારે રાજસ્થાનના પાલી જિલ્લાના સુમેરપુર નજીક એક ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રોડ સાઇડ ચાલતા 6 જેટલા પદયાત્રીઓને અડફેટે લીધા હતા. જેમાં ત્રણ લોકોનું ઘટનાસ્થળ પર મોત નિપજ્યું હતું.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...