પોરબંદરઃ પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ બે બોટનું અપહરણ કરવાની ઘટના સામે આવી છે. આ સાથે 12 માછીમારોનું પણ અપહરણ કરી લીધું છે. આ બેમાંથી એક બોટ પોરબંદર અને એક બોટ ઓખાની હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાન મસીન સિક્યોરિટીએ ઓખાની એક અને પોરબંદરની એક ફિશિંગ બોટ તથા 12 માછીમારોનું અપહરણ કર્યું છે. ભારતીય જળસીમા નજીકથી આ બોટનું અપહરણ કરવામાં આવ્યું છે. 


મહત્વનું છે કે, પાકિસ્તાન દ્વારા આવી ઘટનાને વારંવાર અંજામ આપવામાં આવે છે. એકતરફ પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોને છોડવામાં આવે છે તો, બીજીતરફ આંતરરાષ્ટ્રીય સમુદ્ર બોર્ડર પરથી માછીમારોનું અપહરણ કરવામાં આવે છે. 


ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ છેલ્લા દિવસોમાં પાકિસ્તાન મરીને ભારતીય જળસીમામાં ઘૂસીને બોટ અને અનેક માછીમારોના અપહરણ કર્યાં છે. પોરબંદર અને વેરાવળ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 5 લાખથી વધુ માછીમાર પરિવારો વસવાટ કરે છે. જેમાથી સક્રીય માછીમારો પાસે નાની મોટી માછીમારી બોટો છે. જેનાથી માછીમારોને રોજગારી મળી રહે છે.