મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ દ્વારા છેલ્લા ઘણા સમયથી માસ્ક બનાવવાની કામગીરી જેલના કેદીઓ દ્વારા કરવામાં આવી રહી છે. જો કે, તાજેતરમાં જ પેરોલ પરથી જેલમાં પરત આવનાર કેદીઓમાં 7 કેદીઓ કોરોના પોઝિટિવ આવતા જેલ તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે. જેને પગલે સજાગ જેલ તંત્ર દ્વારા હવે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE કીટ) જેલમાં જ બનાવવાનું શરૂ કરાયું છે અને PPE કીટ જેલ હોસ્પિટલમાં જ પ્રાયોગિક ધોરણે ઉપયોગમાં લેવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સુરત: વતન જવાની માંગ સાથે પરપ્રાંતીય શ્રમિકો રસ્તા પર ઉતર્યા, પોલીસ પર કર્યો પથ્થરમારો


આ અંગે જેલ વિભાગના ફેક્ટરી મેનેજર એ.એસ પરમારને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, આગામી સમયમાં અમદાવાદ મધ્યસ્થ જેલ દ્વારા રાજ્યની 28 જેલમાં આ PPE કીટ તમામ જેલ હોસ્પિટલમાં આપવામાં આવશે. મહત્વનું છે કે, લોકડાઉન સમયમાં બહારથી આવતા કેદીઓને જેલ સિપાહીઓ દ્વારા સારવાર અર્થે કે તપાસ માટે રોકી બાદમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.


આ પણ વાંચો:- કોરોનાકાળમાં અમદાવાદમાં ભેદી દુર્ગંધથી લોકો હેરાન પરેશાન, ભયનો માહોલ સર્જાયો


તેવામાં અન્ય કોઈ કેદીઓને કોરોનાનો ચેપ લાગે નહીં તે માટે આ તકેદારી રાખવામાં આવી રહી છે. આ સાથે જેલ બહાર ડિસઈન્ફેક્ટ ટનલ પણ બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ઘણા સમયથી જેલમાં દરજી વિભાગ દ્વારા દરરોજ 2 હજાર જેટલા માસ્ક બનાવવામાં આવી રહ્યાં છે અને હાલ AMC કેમિશ્નર દ્વારા પણ આ કેદીઓના કામગીરીને બિરદાવતા 50 હજાર માસ્ક બનાવવા જેલ વિભાગે ઓર્ડર આપ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube