ચેતન પટેલ/સુરત: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં આવી રહ્યા છે ત્યારે ભવ્ય સ્વાગત ની તૈયારીઓ શરૂ થઈ, રામ રક્ષક સેના દ્વારા લાખોની સંખ્યામાં ધ્વજ લગાડી ભગવાન રંગે રંગી દેવાનું આયોજન કરવામાં આવ્યું છેબાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના અન્યાયોની સંખ્યા ખૂબ મોટી છે. દેશભરની અંદર અલગ અલગ જગ્યા ઉપર તેમના સમર્થકો લાખોની સંખ્યામાં છે. સુરતની લોક રક્ષક સેના દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં આવી રહ્યા છે ત્યારે ઘરે ઘરે લોક રક્ષક સેનાના ધ્વજ લગાવવામાં આવશે અને તેમના દ્વારા લોકોને આહવાહન કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના 9.38 લાખ સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો


સુરત શહેરમાં ધીરેન્દ્ર શાસ્ત્રી નો દિવ્ય દરબાર યોજાવાનો છે ત્યારે સમગ્ર શહેરની અંદર જબરજસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યા છે અને તેમના આગમન માટેની પણ પૂરજોશથી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. દેવેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે સુરતમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. લોકરક્ષક હસેના દ્વારા ઘરે-ઘરે ધ્વજ લગાડવામાં આવશે અને દરેક ઘરે દીવા પ્રગટાવીને દિવાળી જો માહોલ ઉભો કરવામાં આવશે.


સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને આપવામાં આવશે 1.25 લાખની અદ્દભુત ગદા,15 દિવસમાં થઇ તૈયાર


સુરત શહેરના આઠ ઝોનમાં અલગ અલગ ધ્વજનું વિતરણ કરવામાં આવશે. જે પણ દિવાળીનો સામાન લાઇટિંગનો હશે તે લોકો પોતાની સ્વયંભૂ બહાર લાવીને દિવાળીની જેમ ઘરોને પણ શણગારવા માટેનું આહવાહન કરવામાં આવ્યું હતું. લોક રક્ષક સેનાના સ્વયંસેવકો હજારોની સંખ્યામાં ખડે પગે દિવ્ય દરબાર માટે સેવા આપશે. 


સૌથી મોટા ખુશખબર! ગુજરાતમાં S.T.બસના ડ્રાઈવર અને કંટકટરોની થશે ભરતી


અમે તેમના સમર્થક છીએ અને હિન્દુ રાષ્ટ્રના હિતેચ્છુ છીએ.લોક રક્ષક સેનાના અધ્યક્ષ મહેશ પાટીલે જણાવ્યું કે અમારું સંગઠન સમગ્ર ભારત વર્ષમાં છે વાઘેશ્વર ધામ સાથે હું વ્યક્તિગત રીતે ઘણા સમયથી જોડાયેલો છું. અમે ધીરેન્દ્ર શાસ્ત્રીજી મહારાજનું ભવ્ય સ્વાગત કરવા જઈ રહ્યા છે દરેક રામ ભક્ત આમાં ખૂબ હૃદયથી સેવા આપવા માટે તત્પર છે. રામ સેવકોની કતાર લાગી જશે અને કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ પ્રકાર ની સેવા આપવા માટે અમે લોકો તૈયાર છે.