ભારત બંધમાં ગુજરાતમાં કોંગ્રેસે ટાયરો સળગાવ્યા, ખેડૂત સમર્થનમાં નારા લાગ્યા

ખેડૂતોના ભારત બંધના આહવાન સામે આજે ગુજરાતમાં નહિવત અસર જોવા મળી છે. ક્યાંક માર્કેટ બંધ રહ્યાં છે, પરંત ગુજરાતનું જનજીવન રાબેતામુજબ ધબકી રહ્યું છે. આ વચ્ચે ક્યાંક વિરોધ પ્રદર્શનો જોવા મળ્યાં છે. વડોદરા નેશનલ હાઈવે, અમદાવાદ માળીયા સ્ટેટ હાઈવે પર સાણંદ પાસે અને ભરૂચ-દહેજ હાઈવે પર બંધને સમર્થન આપીને ટાયર સળગાવાયા છે.