ગૌરવ દવે/રાજકોટ: 17મે વિશ્વ હાયપરટેન્શન દિવસ છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં આ અંગે જાગૃતિ ફેલાવવાનો છે, પરંતુ હજુ પણ ઘણા લોકો આ અંગે ગંભીર નથી. તે ચિંતાનો વિષય છે. સ્થિતિ એ છે કે હાઈપરટેન્શનની સમસ્યા જે પહેલા સામાન્ય રીતે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં જોવા મળતી હતી. તે હવે 25-30 વર્ષની વયના યુવાનોમાં જોવા મળે છે. યુવાનોમાં આ રોગ વધવાનું મુખ્ય કારણ અયોગ્ય જીવનશૈલી છે. હાયપરટેન્શન માટે અનેક કારણો જવાબદાર છે જેમાં શારીરિક સાથે ખાસ માનસિક, સામાજિક, વ્યક્તિગત કારણો વધુ જવાબદાર છે. આ અંગે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડૉ. ધારા આર.દોશી અને અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસને 621 લોકો પર સર્વે કર્યો જેમાં નીચે મુજબ માહિતી મળી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંધી-તોફાન અને વરસાદે ગુજરાતના આ જિલ્લામાં તારાજી સર્જી, અનેક ગામોમા ઘરના પતરા ઉડ્યા


# ઘરમાં થતા ઝઘડાઓ હાયપરટેન્શન થવાનું મુખ્ય કારણ છે એવું 70.56% લોકોએ સ્વીકાર્યું.
# સતત માનસિક તણાવ અનુભવતા લોકો હાયપરટેન્શન વધુ ધરાવે છે તેવું 89.90% લોકોએ સ્વીકાર્યું.
# *અયોગ્ય જીવનશૈલી હાયપરટેન્શનનું કારણ બને છે તેવું 99.99% લોકોએ સ્વીકાર્યું.
# બીમારીની ચિંતા અને સામાજિક તણાવ હાયપરટેન્શન નોતરે છે તેવું 80.78% લોકોએ સ્વીકાર્યું
# એકલતામાં થતો વધારો હાયપરટેન્શનમાં પણ વધારો કરે છે તેવું 100% લોકોએ સ્વીકાર્યું
# *તૂટતી જતી કુટુંબ વ્યવસ્થા હાયપરટેન્શનમાં વધારો કરે છે તેવું 81.21% લોકોએ જણાવ્યું.
# *સોશિયલ મીડિયાનો અતિરેક હાયપરટેન્શન નોતરે છે એવું 89.90% લોકોએ જણાવ્યું.


100 વર્ષ બાદ ગુરુએ બનાવ્યો આ દુર્લભ રાજયોગ, 2 રાશિવાળાનું ભાગ્ય ઉઘડી જશે


આજે તણાવમાં માણસ તૂટી રહ્યો છે. તે બીમારીની સાથે ડિપ્રેશનથી પીડિત છે, જેના કારણે તે મૃત્યુના આરે છે. સ્ત્રી હોય કે પુરૂષ, આવી સ્થિતિ દરેક સાથે બનતી હોય છે. તણાવની સ્થિતિ એવી છે કે લોકો પોતાના જીવનનો અંત લાવી રહ્યા છે. ઝડપથી વધી રહેલા આત્મહત્યાના કિસ્સાઓ એક મોટો પડકાર બની ગયો છે. 


રોકેટ સ્પીડથી વધશે પૈસા, 15 વર્ષમાં હશો કરોડપતિ.. બસ આ ફોર્મ્યુલાથી કરો રોકાણ


આ રોગથી પીડિત યુવાનોની સંખ્યા ઝડપથી વધી રહી છે.  તેનું મુખ્ય કારણ ખરાબ જીવનશૈલી છે. યુવાનો કોઈપણ પરિસ્થિતિમાં ખુશ રહેવા માંગતા નથી, જેના કારણે તણાવ વધે છે.  આ ઉપરાંત, અનિયમિત આહાર, અવ્યવસ્થિત દિનચર્યા, દારૂ અને સિગારેટનું સેવન વગેરે આ જોખમને વધારે છે.  


આગામી સપ્તાહે શુક્ર ગોચર અને માલવ્ય રાજયોગથી 5 જાતકોના સિતારા ચમકશે, મળશે લાભ


હાયપરટેન્શન શું છે?
હાઈપરટેન્શન એટલે હાઈ બ્લડ પ્રેશર (હાઈ બ્લડ પ્રેશર).  આ એક ખતરનાક રોગ છે. વાસ્તવમાં, આ એક એવી સ્થિતિ છે જેમાં ધમનીઓમાં બ્લડ પ્રેશર નોંધપાત્ર રીતે વધી જાય છે અને તેના કારણે ધમનીઓમાં લોહીના પ્રવાહને જાળવી રાખવા માટે હૃદયને સામાન્ય કરતાં વધુ કામ કરવાની જરૂર છે.  નિષ્ણાતોનું કહેવું છે કે હાર્ટ એટેકનું મુખ્ય કારણ હાઈપરટેન્શન છે. આ સિવાય તે મગજ, કિડની અને અન્ય રોગોનું જોખમ પણ વધારી શકે છે.


AAP સાંસદનો ગંભીર આરોપ, પેટ અને પ્રાઈવેટ પાર્ટ પર મારી લાત, કપડાં પણ ખુલી ગયા


આ રીતે ડિપ્રેશન વધી રહ્યું છે
લોકો તેમના વ્યસ્ત જીવનમાં આરામ નથી અનુભવતા.  જીવનશૈલી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.  તણાવને કારણે લોકોમાં અનેક બીમારીઓ થઈ રહી છે અને તેના કારણે તેઓ પરેશાન થઈ ગયા છે.


હવે ચારધામમાં નહી બનાવી શકો રીલ્સ અને ફોટો-વીડિયો,VIP દર્શનને લઇને આવ્યા મોટા સમાચાર


લક્ષણો
 - માથાનો દુખાવો
 - ચક્કર
 - થાક અને સુસ્તી અનુભવવી
 - હૃદયના ધબકારા વધવા
 - છાતીનો દુખાવો
 - ઝડપી શ્વાસ અથવા શ્વાસ લેવામાં તકલીફ
 - ઝાંખી દ્રષ્ટિ


સતત કમોસમી વરસાદના મારથી ખેડૂતોની ચિંતા વધી, ડાંગમાં આંધી તોફાને તારાજી સર્જી


કારણો
 - તણાવ
 - કસરત ન કરવી
 - અનિયંત્રિત આહાર.
 - તેલયુક્ત ખોરાકનો વધુ પડતો વપરાશ.
 - ભોજનમાં મીઠાનો વધુ પડતો ઉપયોગ.
 - સ્થૂળતા
 - ઊંઘનો અભાવ.


12 વર્ષ પછી મોહિની એકાદશી પર સર્જાશે 6 અત્યંત શુભ યોગ, 5 રાશિઓને અચાનક થશે ધન લાભ


સાયલન્ટ કિલરથી તમારી જાતને કેવી રીતે બચાવવી?
 - નિયમિત કસરત કરો.
 - દિનચર્યાને વ્યવસ્થિત બનાવો.
 - પૌષ્ટિક ખોરાક લો.
 - ખુશ રહો, ચિંતા અને તણાવથી દૂર રહો.
 - ફળો, શાકભાજી અને અંકુરિત અનાજ લો.
 - પૂરતી ઊંઘ લો.
 - દારૂ અને ધૂમ્રપાન છોડી દો
 - હેલ્થ ચેકઅપ કરાવો.  30 વર્ષની ઉંમર પછી દર વર્ષે તપાસ કરાવો.
 - બીપીની સમસ્યા હોય તો બીપીની સાથે સુગર, કિડની વગેરેની પણ તપાસ કરાવો.
 - હાયપરટેન્શનથી બચવા માટે જીવનશૈલીમાં સુધારો કરો.
 - ભોજનમાં ઓછામાં ઓછું મીઠું લેવું.
 - તણાવથી મુક્ત રહેવા માટે યોગની મદદ લો.
 - વધુ પડતી ચા કે કોફી ન લો, દરરોજ 2 થી 3 લીટર પાણી પીવો.
 - તમારું બીપી અને થાઈરોઈડ ચેક કરાવતા રહો.


Gold Price Today: માર્કેટ ખૂલતાં જ ધડામ દઇને સોના-ચાંદીના ભાવ તૂટ્યા, જાણો આજનો ભાવ


વધુ પડતી મહત્વાકાંક્ષાને કારણે યુવાનોને તણાવ
હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં યુવાન દર્દીઓમાં વધારો થયો છે. એવું જોવા મળે છે કે હાઈપરટેન્શનના ઘણા દર્દીઓ યુવાનો છે. જીવનશૈલી આનું મોટું કારણ છે. આ સમસ્યા એવા યુવાનોમાં વધુ જોવા મળે છે જેમના કામમાં લાંબા સમય સુધી બેસવું પડતું હોય છે. વધુ પડતી મહત્વાકાંક્ષાના કારણે આપણે વધુ તણાવ લઈ રહ્યા છીએ જેની ખરાબ અસર આપણા શરીર પર બીપી જેવા રોગોના સ્વરૂપમાં થઈ રહી છે.