Railway Update હરીન ચાલીહા/દાહોદ : દાહોદમાં મોટી દુર્ઘટના બનતા રહી ગઈ. પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી, જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ આ અકસ્માતથી દિલ્હી મુંબઈ મુખ્ય રેલ માર્ગ પ્રભાવતિ થયો છે. પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરતા દિલ્હી બોમ્બે રેલ માર્ગ બંધ કરાયો હતો. દિલ્હી મુંબઈ મુખ્ય રેલ માર્ગ બંધ હોવાના પગલા અનેક ટ્રેનોને અસર થઈ છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્યપ્રદેશમાં અમરગઢ સ્ટેશન નજીક આ ઘટના બની હતી. પેસેન્જર ટ્રેન 12494 દુરંતો એક્સપ્રેસનું એન્જિન અને પાવર કોચ પાટા પરથી ઉતરી ગયુ હતું. આ ઘટનાની જાણ થતા જ રેલવેના અધિકારીઓ કર્મચારીઓ ઘટના સ્થળે  દોડી આવ્યા હતા. રેલવેના અધિકારીઓ કર્મચારીઓ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા, અને પૂરજોશમાં કામગીરી શરૂ કરાઈ હતી. જોકે, બપોર બાદ રેલ્વે માર્ગ શરુ થવાની શક્યતા છે. 


ઠાસરામાં પથ્થરમારામાં મોટા અપડેટ : મસ્જિદ પરથી મળ્યા પથ્થરો, અત્યાર સુધી 11 ની ધરપકડ


આ ઘટના બાદ રેલ્વે વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી ટ્રેનના મુસાફરો માટે નાસ્તાની વ્યવસ્થા કરાઈ હતી. હાલ દિલ્હી તરફ જતો રેલ માર્ગ ચાલુ કરાયો છે. પરંતું મુંબઈ તરફ જતો માર્ગ ધીમે ધીમે શરુ કરાયો છે. આ માટે રેલ્વે વિભાગ દ્વારા હેલ્પ લાઈન નંબર જાહેર કરાયા છે. જેથી મુસાફરો આ અંગે પૂછપરછ કરી શકે છે. 


  • દાહોદ - 02673220112

  • રતલામ  -07412232382

  • નાગદા - 07366246909


મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નર્મદા નદી તોફાની બની, ડેમના 5 દરવાજાથી પાણી છોડાયું


દિલ્હીથી બે IAS ઓફિસરને આવ્યો બુલાવો, ગુજરાતના બંને અધિકારીઓને અપાયું ખાસ પોસ્ટિંગ