રાજકોટ: રાજકોટના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ મોટી ઉથલપાથલ થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. રાજકોટ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજભા ઝાલા આમ આદમી પાર્ટીમાં જોડાવવાના છે. જ્યારે પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ ફરી કોંગ્રેસમાં જોડાઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ હાલમાં જ રાજભા ઝાલાએ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે અમદાવાદમાં મુલાકાત કરી હતી. એવી પણ માહિતી મળી છે કે તેમને દિલ્હી બોલાવવામાં આવ્યાં છે. નોંધનીય છે કે આમ આદમી પાર્ટીએ આ વખતે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જબરદસ્ત બહુમત મેળવીને દિલ્હીની સત્તા ફરી મેળવી છે. ત્યારે પાર્ટી હવે રાષ્ટ્રીય સ્તરે વ્યાપ વધારવાની કોશિશમાં છે. ગુજરાતમાં પણ તે હવે અનુભવી ચહેરાઓની શોધમાં છે. 


વધુ વિગતો માટે જુઓ VIDEO 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...