Rajkot Fire Case: રાજકોટ આગકાંડમાં ભ્રષ્ટ તંત્રના પાપે 27 નિર્દોષ લોકો જીવતા સળગી ગયા બાદ એક તરફ લોકોમાં આક્રોષ ભભૂકી રહ્યો છે તો બીજી તરફ હવે રાજકોટ ભાજપમાં જ ભયાનક યુદ્ધ શરૂ થયું છે. જી હા...રાજકોટ ભાજપનો આંતરિક જૂથવાદ ગાંધીનગર કમલમ્ સુધી પહોંચ્યો. છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આવે છે વાવાઝોડું! આગામી 7 દિવસ ક્યાં છે ધૂળની ડમરી સાથે ભારે પવનનું સંકટ?


ભાજપની 'ચંડાળ-ચોકડી’ના નામ જોગ ઉલ્લેખ સાથે 'કમલમ્'માં લેટર-બૉમ્બ ફોડવામાં આવ્યો છે. જેમાં રાજકોટ શહેરના પૂર્વ મેયર, પૂર્વ શહેર પ્રમુખ અને યુવા મોરચાના અગેવાનની તત્કાલીન એમ.ડી.સાગઠિયા સાથે સાંઠગાંઠ હોવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. 



ભાજપ બહુમતથી પણ રહેશે દૂર, યોગેન્દ્ર યાદવની ભવિષ્યવાણી : આ ગઠબંધન સરકાર બનાવશે


એટલું જ નહીં, લેટર બોમ્બની સાથે પુરાવાઓ પણ જોડવામાં આવ્યા છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે રાજકોટ ભાજપની ભ્રષ્ટ ચંડાળ ચોકડીએ સત્તાના જોરે ટીપીઓને સાથે રાખીને મવડી સહિતના વિસ્તારોમાં 100 કરોડ રૂપિયાની જમીનથી લઈને અનેક જમીનોમાં અબજો રૂપિયાનાં કૌભાંડો કર્યાં છે. 


Google Down: સર્ચ એન્જિન સહિત Googleની તમામ સેવાઓ ઠપ્પ! દોઢ કલાકમાં 1 હજારથી વધુ ફરિ


સૂત્રોના તરફથી આ ખબર મળી રહી છે. પુરાવા સાથે ભાજપના ભ્રષ્ટ નેતાઓ સામે કમલમમાં રજૂઆત કરવામાં આવી છે. તો ભાજપ હાઈકમાન્ડ આ મુદ્દે શું પગલાં લે છે અને તેના પર સૌની નજર છે હવે.