rajkot game zone fire : રાજકોટ ગેમ ઝોનની એ ગોઝારી દુર્ઘટનાને કોણ ભૂલી શકે?, કારણ કે જે નરાધમોને કારણે નિર્દોષોને મોત મળ્યું તે મૃતદેહ પણ ઓળખી શકાય તેવા નથી. 28 લોકોને જીવતા ભૂંજાવી દેનારી આ દુઃખદ ઘટના ગુજરાતમાં કાળી ટીલ્લી સમાન છે. શું વિત્યું હશે એ પરિવાર પર જેણે પોતાનો લાડકવાયો ગુમાવ્યો હશે, શું વિત્યું હશે જેણે પોતાના મોભી ગુમાવ્યા હશે?, રાજકોટની હ્રદય કંપાવી દે તેવી આ ઘટનામાં અત્યાર સુધી 20 મૃતદેહ DNA મેચ કરીને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. જુઓ પરિવારજનોના હૈયફાટ રુદનનો આ ખાસ અહેવાલ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હે પ્રભુ, એવા તો શું ગુના કર્યા હતા અમે કે અમને જીવતા ભૂંજાવી દીધા. એવો તો શું હતો વાંક અમારો કે મોત પછી પણ અમારી ઓળખ ન થઈ શકી?, કાળજુ કંપી ઉઠે છે, આંસુ રોકાતા નથી, મન માનવા તૈયાર નથી કે જેના માટે અનેક સપના જોયા હતા, જે અમારા ઘરના કૂળદીપક હતો, અમારા ઘરનું ઘરેણું હતો તે આજે અમારી વચ્ચે નથી. ભગવાન મોત પણ તે કેવું આપ્યું?, પરિવારજનો પણ છેલ્લીવાર મોઢું ન જોઈ શક્યા. પોતાના લાડકા કે લાડકીને ઓળખી ન શક્યા. ભગવાન આટલી કરુણ વેદના કોઈને ન આપતા. કારણ કે એ વેદનાની ખબર એને પડે છે જેણે પોતાના ગુમાવ્યા હોય.


ગુજરાતની નવી પેઢી 2BHK કે 3BHK ઘર નહિ ખરીદી શકે, સસ્તા ઘરને લઈને આવ્યા મોટા અપડેટ


હ્રદય કંપી ઉઠે તેવા હૈયાફાય રુદનના આ દ્રશ્યો કોઈને પણ રડાવી શકે તેવા છે. રાજકોટ ગેમઝાનમાં લાગેલી એ વિકરાળ આગ જીજ્ઞેશ ગઢવીને ભરખી ગઈ. બે દિવસ પછી જ્યારે મૃતદેહ મળ્યો, તે પણ DNA મેચ કરીને કારણ કે પરિવારજનો પણ પોતાના લાડકવાયાને ઓળખી શકે તેવી સ્થિતિ ન હતી .જીજ્ઞેશને જ્યારે અંતિમવિદાય આપવામાં આવી ત્યારે પરિવારજનો કરુણ વિલાપ કરી રહ્યા હતા. મા, બહેન, ભાઈ, પિતા અને પરિવારજનોના આંખમાં આંસુની જે ધાર હતી તે કોઈનું પણ કાળજુ કંપાવી દે તેવી હતી


રૂપાલાને હવે યાદ આવ્યું રાજકોટ! અગ્નિકાંડના ત્રણ દિવસ બાદ પ્રકટ થયા