ગૌરવ દવે/રાજકોટ: રાજકોટનાં દુધસાગર રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડનાં કવાર્ટર પાસે યુવકની બેરહેમીથી છરીનાં ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે. ગત મોડી રાત્રીનાં કેટલાક અજાણ્યા શખ્સો પાનની દુકાન પાસે ગાંજાનો નશો કરતા હતા ત્યારે દુકાન પાસે નશો ન કરવા કહ્યું હતું. જેમાં ઉશ્કેરાયેલા શખ્સોએ આજે બપોરે યુવકને છરીનાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે લોકસભા ચૂંટણી થાય તો કોની બનશે સરકાર? સર્વેમાં જુઓ કઈ પાર્ટીને કેટલી સીટો મળશે


ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે રહેતા અને પાનની દુકાન ચલાવતા વિજય કેશુ બાબરીયાની અજાણ્યા શખ્સો દ્વારા છરીનાં ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. થોરાળા પોલીસ સ્ટેશનને જાણ થતા જ પોલીસ દોડી ગઇ હતી. પરંતુ વિજય બાબરીયાને છરીનાં ઘા ઝીંક્યા હોવાથી ઘટના સ્થળે જ ઢીમ ઢળી ગયું હતું. 


ટ્રાફિક કર્મીઓના અચ્છે દિન! અપાયા AC હેલ્મેટ, અફલાતૂન સુવિધાઓ સાથે આ રીતે કરે છે કામ


મૃતક વિજયનાં પિતરાઇ ભાઇ જીતેશ બાબરીયાએ જણાવ્યું હતું કે, ગઇકાલે સાંજે 8 વાગ્યે પાનની દુકાન પાસે ત્રણ શખ્સો ગાંજો પીતા હતા. જેને અહિં થી દુર જતા રહેવાનું કહ્યું હતું. ત્યારે બોલાચાલી થઇ હતી. પછી રાત્રે 12 વાગ્યે તે શખ્સો પરત આવ્યા હતા અને ધમકી આપી હતી કે કાલે જોઇ લઇશું. આજે સવારે પાનની દુકાન ખોલી ધંધો કરતો હતો ત્યારે બપોરે આવીને ત્રણેય શખ્સોએ છરીનાં ઘા ઝીંકી દીધા હતા. 


વિદ્યા ધામ કે મદિરાપાન ધામ! એક પછી એક વિદ્યાના ધામ કેમ બની રહ્યા છે 'ઉડતા ગુજરાત'?


શહેરનાં દૂધસાગર રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર પાસે યુવકની હત્યાની ઘટના સામે આવતા જ રાજકોટ પોલીસ દોડતી થઇ હતી. વિજય કેશુ બાબરીયાની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવતા પોલીસની અલગ અલગ ટીમો બનાવીને ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી અને થોરાળા પોલીસ સ્ટેશનની ટીમો આરોપીઓને શોધખોળ શરૂ કરી હતી. 


ભરૂચના હાંસોટમાં બે કાર ધડાકાભેર અથડાતાં પડીકું વળી ગઈ! એક જ પરિવારના 5 લોકોના મોત


એસીપી બી. વી. જાધવે જણાવ્યું હતું કે, હાલ પોલીસ દ્વારા હત્યા કરવાનું કારણ શું છે તે દીશામાં પુછપરછ અને તપાસ કરી રહી છે. વિજય બાબરીયાની હત્યા પાછળ ગાંજો પીતા લોકો જ જવાબદાર છે કે નહિં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ પોલીસ સકંજામાં છે અને તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.


ન્યાય યાત્રાનો રેલો ગાંધીનગર પહોંચતા 'ભૂપેન્દ્ર દાદા'એ બાજી સંભાળી! આંદોલન સમેટાયું


રાજકોટ શહેરમાં જાહેરમાં વેંચાતો ગાંજો, દારૂ જેવી બદીઓએ અનેક પરિવારનાં માળાઓ ઉજેડી નાંખ્યા છે. તેમ છતાં પણ પોલીસ નિષ્ક્રિય રહેતા અવાર નવાર દારૂ અને ગાંજાનાં નશામાં બેફામ બનેલા લોકો પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. પોલીસ આરોપીઓની પુછપરછમાં શું કારણ બહાર લાવે છે તે જોવું રહ્યું.