ગૌરવ દવે/રાજકોટ: શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા રાધે ક્રિષ્ના સોસાયટીના લોકો ભૂમાફિયાઓના ત્રાસથી હેરાન પરેશાન છે. છેલ્લા ત્રણથી ચાર વર્ષની ભૂમાફિયાઓ સ્થાનિકોને પરેશાન કરી રહ્યા છે. તેમ છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરી હોવાનો સ્થાનિકોનો આરોપ છે. સોમવારે રાત્રે એક દુર્ઘટના બની હતી. સોમવારે રાત્રે આ ભૂમાફિયાઓએ સોસાયટીના અવિનેશભાઈ ધુળેસિયા પર હુમલો કરતા તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાત્રે સોસાયટીમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પથ્થરમારામાં અન્ય 3 શખ્સોને સામાન્ય ઈજાઓ થઈ છે. સ્થાનિકોનો એવો આરોપ છે કે, રાજકોટ પોલીસ સાથે ભૂમાફિયાઓની સાંઠગાંઠ હોવાનો આરોપ લગાવી રહ્યા છે.a


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે રાજકોટ યુનિવર્સિટી રોડ પર આવેલ રાધે ક્રિષ્ના સોસાયટીમાં ગત મોડીરાત્રે ભૂમાફિયાઓએ ઘર ખાલી કરાવવા જેવી નજીવી બાબતે સોસાયટીના રહીશો પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટના વિશે જ્યારે લોકોને પુછવામાં આવ્યું હતું ત્યારે તેમણે જણાવ્યું કે છેલ્લા 3 થી 4 વર્ષ થી ભુમાફિયાઓ તેમને પરેશાન કરી રહ્યા છે. અમે પોલીસને અનેક ફરિયાદો કરી છે,તેમ છતાં કોઈ કાર્યવાહી ન થવાનો આરોપ લગાવ્યો છે.  


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube