ગૌરવ દવે/રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને તમામ પક્ષો તેના ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે. રાજકોટમાં ખોડલધામે લોબીંગ શરૂ કર્યું છે. ત્યારે નરેશ પટેલ બાદ જેરામ પટેલ માટે લોબિંગ રાજકોટમાં લોબીંગા શરૂ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં કડવા પાટીદારનું લોબિંગ શરૂ થતા રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. સૌરાષ્ટ્રમાં કડવા પાટીદારોને ટિકિટ ફાળવવા સૂર ઉઠ્યો છે. રાજકોટ પશ્ચિમ સહીત સૌરાષ્ટ્રમાં 10 ટિકિટની માગ કરાઈ છે. સીદસર ઉમિયાધામના જેરામ પટેલે ટિકીટની માગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે, પ્રદેશ ભાજપના પાર્લામેન્ટ્રી બોર્ડ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ખોડલધામના નરેશ પટેલના લો્બિંગ પછી જયરામભાઈ પટેલનો સૂર ઉઠ્યો છે. સૌરાષ્ટ્રમાં કડવા પાટીદારનું લોબિંગ શરૂ થયું છે. રાજકોટ પશ્ચિમ સહીત સૌરાષ્ટ્રમાં 10 ટિકિટ કડવા પાટીદારને ફાળવવા સૂર ઉઠ્યો છે. સીદસર ઉમિયાધામના જયરામ બાપાએ આ માંગ ફરી કરી છે. રાજકોટ પશ્ચિમ, ઉપલેટા, જામજોધપૂર, મોરબી, કેશોદ, માણવદર સહીત 10 ટિકિટમાં સમાજને પ્રાધાન્યની માંગ કરવામાં આવી છે. બીજી બાજુ તમને જણાવી દઈએ કે માણવદરમાં કોંગ્રેસે કડવા પાટીદાર ઉમેદવાર નારણભાઈ લાડાણીને ઉતાર્યા છૅ.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube