Rajkot Fire Tragedy : રાજકોટ આગકાંડમાં એક જ પરિવારના 5 લોકો હજુ લાપતા છે. પરિવારના 10 લોકો ગેમઝોનમાં ગયા હતા. જેમાં વિરેન્દ્રસિંહ જાડેજા સહિત 5 લોકો હજી સુધી લાપતા છે. રાજકોટ આગકાંડમાં એક જ પરિવારના 5 લોકો લાપતા થવાથી આખો પરિવાર ગમગીન બની ગયો છે. આ ઘટનાથી વ્યથિત થયેલા પરિવારના એક સદસ્યએ ગુસ્સામાં આવીને કહ્યું કે, અમારા પરિવારના 10 લોકો ગેમઝોનમાં ગયા હતા, 5 લોકો લાપતા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોઈની ઓળખ થઈ શકી નથી. આ તામમ TRP ઝોનમાં રમવા માટે ગયા હતા. દોષિતોને કડકમાં કડક સજા થવી જોઈએ. જો જામીન મંજુર થાય તો હું તેમને મારી નાંખીશ. હવે મારી પાછળ કોઈ બચ્યું નથી. મારે જેલમાં જવું પડે તો હું જવા તૈયાર છું. મીડિયાએ જે રીતે લેવું હોઈ તે લેજો. ધમકી સમજો તો પણ મને મંજુર છે. 


આ લોકો જામીન પર છુટ્યા તો હું એકેયને જીવતો નહિ છોડું
ગુસ્સામાં આવેલા પરિવારના સદસ્યએ ધમકી આપતા કહ્યું કે, મારી માંગણી એ છે કે, સરકારે કાં તો આ લોકોને ફાંસીની સજા આપો. અથવા તો કોઈ એડવોકેટ તેમનો કેસ ન લડે, ન તો હાઈકોર્ટમાં, ન તો સુપ્રીમમાં. જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે પણ ફી થતી હોય તેને 2 લાખ રૂપિયા હુ આપવા તૈયાર છું.


હુ મારા પોતાના રૂપિયા આપીશ. મારે કોઈ સરકારી સહાય જોઈતી નથી. મીડિયામાં હાજરીમાં જે જરૂરિયાતમંદને સરકારી સહાય જોઈતી હશે એને હું આપી દઈશ. જ આમાંથી કોઈના પણ સજા પહેલા જામીન મંજૂર થયા તો હુ એમને મારી નાંખીશ. મારા આગળ પાછળ કોઈ નથી, હતુ એ વહ્યું ગયું છે.


આને તમે ધમકી સમજો તો છુટ છે, મીડિયાને જે રીતે છાપવુ એ છુટ છે. આને બાપની વેદના સમજીની છાપવું હોય તો પણ છૂટ છે. જો આ લોકો જામીન પર છુટ્યા તો હું એકેયને જીવતો નહિ છોડું. હવે મારો કોઈ પરિવાર ઓળખ નથી થઈ રહી, તેમ હું એમને ઓળખ નહિ થવા દઉં. આ કોઈ જાતની ખાલી કહેવાની ધમકી નથી. આના માટે બધી તૈયારી છે. આ માટે હું જેલમાં જતો રહીશ. જેને જ્યા મને અડવુ હોય એ અડી લે, પણ હું કોઈને મૂકીશ નહિ.


હું સરકારને એટલુ જ કહેવા માગુ છું કે, આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. કોઈને કોઈ દુર્ઘટના બનતી જાય છે. કોઈનો દીકરો, કોઈની દીકરી, કોઈનો પરિવાર જતો રહે છે. છતા કોઈ એક્શન લેવાતું નથી. હવે સરકાર એક્શન નહિ લે, તો પબ્લિક એક્શન લેશે. હવે હું દેખાડીશ. જો જામીન મંજૂર થયા તો હું તેમને પૂરો કરી દઈશ. 


રાજકોટ આગકાંડમાં એક જ પરિવારના 5 લોકો લાપતા, 10 જણા ગયા હતા, આગની લપેટોમાં 5 જણા નીકળી ન શક્યા


 


નોકરી શોધવા ગોરખપુરથી આવ્યો હતો મોનુ, પિતાને પહેલો પગાર આપે તે પહેલા મોત મળ્યું


આ વિશે પરિવારજન ચંદ્રસિંહ જાડેજાએ કહ્યું કે, મારા કાકાના દીકરાનો ફોન આવ્યો હતો. પરિવારના કેટલાક સભ્યો ગેમઝોન ગયા છે તેમનો ફોન લાગતો નથી. કુલ 10 લોકો ગયા હતા તેમાંથી 2 હોસ્પિટલમાં દાખલ, અન્ય 5 લાપતા છે. સંચાલકોની બેદરકારીના કારણે ઘટના બની હોવાનો પરિવારે આક્ષેપ લગાવ્યો છે. ત્યાં કોઈ ફાયર સે્ફ્ટી નહોતી. તેથી દોષિતોને સજા આપવા પરિવારની માંગ છે. મુખ્યમંત્રીએ ખાતરી આપી છે તમામ મદદ કરીશું. 


હજારો કિમી દૂરથી મોત ખેંચી રાજકોટ લાવ્યું, લગ્નના ચાર દિવસ બાદ NRI કપલનું આગમાં મોત