રાજકોટ: રાજકોટમાં બે દિવસ આગાઉ  શ્રમિક પરિવારના 8 વર્ષના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું છે જે અંગેની પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. જ્યારે આ બાળકનું બે દિવસ બાદ રાજકોટાના ભક્તિનગર વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યો છે. આઠ વર્ષના માસૂમ બાળકની હત્યા પાછળ અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. કારણ કે, બાળકનો પરિવાર એક ગરીબ પરિવાર હોવાથી ખંડણી માટે અપહરણ કરાયુ હોય તેવું શક્ય નથી. જ્યારે પોલીસે પણ જે જગ્યાએથી બાળકનું અપહરણ કરવામાં આવ્યું તે જગ્યાના સીસીટીવીની તપાસ હાથ ધરીને હત્યારાને પકડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. બાળકની હત્યામાં ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ અપહરણ બાદ હત્યા કરનારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.