નર્મદાઃ રાજપીપળાના નર્મદા નદીના કિનારે આવેલા ધનેશ્વર મહાદેવ મંદિરના મહંત રામપ્યારેદાસ ત્યાગીની 10 શખ્સોએ બેટ અને લાકડીથી ફટકારીને હત્યા કરી છે. 


નર્મદા જિલ્લાના નર્મદા નદીના કિનારે આવેલા ધનેશ્વર મહાદેવ મંદિરમાં છેલ્લા 15 વર્ષથી મહંત તરીકે સેવા આપતા રામપ્યારેદાસ ત્યાગીરાદ પૂજારી તરીકે કામ કરી રહ્યાં હતા. તે બાજુમાં આવેલા આશ્રમમાં રહેતા હતા. આ સ્વામીએ આશ્રમની બાજુમાં આવેલી જમીન પર પતરાનો સેડ બનાવ્યો હતો. આ કારણે પાડીશી સાધુઓ સાથે માથાકુટ ચાલતી હતી. આ અદાવતમાં આઠથી દસ લોકોએ હુલ્લડ મચાવી હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહંતને સારવાર માટે રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. પોલીસે આ દસ જેટલા લોકો વિરુદ્ધ રાયોટીંગ અને હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.