અમદાવાદ : ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. એક સમયે સરેરાશ 200-250 કેસ આવતા હતા તેની જગ્યાએ હવે છેલ્લા 12 દિવસથી સરેરાશ 900ની આસપાસ કેસ આવવા લાગ્યા છે. જો કે આજે એક સાથે 949 નવા કોરોનાના દર્દી નોંધાયા હતા. જો કે સામે પક્ષે 770 દર્દીઓ સાજા થઇને ઘરે પણ પરત ફર્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,12,000 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય ટીમે કોરોનાની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો, ગ્રામ્ય કોરોનાને ગણાવ્યો પડકાર

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજે કુલ 3,74,559 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 3,72,365 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને 2203 લોકોને ખાનગી અથવા સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આજનાં રાજ્યના એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો હાલ કુલ 11464 એક્ટિવ કેસ છે. જ્યારે 71 દર્દીઓ વેન્ટીલેટર પર છે. 11393 સ્ટેબલ છે. 32944 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2108 લોકોનાં મોત નિપજ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં આજના દિવસમાં 17 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશન 5, રાજકોટ કોર્પોરેશન 2, ભાવનગરમાં 1, ભાનગર કોર્પોરેશન 1, ગાંધીનગર કોર્પોરેશન 1, પાટણ 1 અને વડોદરા કોર્પોરેશનનાં 1 દર્દીનો સમાવેશ થાય છે. આ પ્રકારે કુલ 17 લોકોનાં મોત નિપજ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube