ઝી બ્યૂરો, અમદવાદઃ UNICEF, PDPU અને ગુજરાત મીડિયા ક્લબ(GMC)ના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં કોવિડ વર્કશોપમાં યોજાયો. જેમાં નિષ્ણાંતોએ કોરોનાના વેક્સીનેશન અંગે વિગતવાર માહિતી આપી. ગુજરાત સરકારે કોરોનાના રસીકરણના મહાઅભિયાન માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. આ અંગે WHOના ગુજરાતના મેડિકલ ઓફિસર ડો.ચિરાગ વાલિયાએ જણાવ્યું હતુંકે, સૌથી પહેલાં ડોર ટૂ ડોર વેક્સીન માટેનો સર્વે હાથ ધરવામાં આવશે. ત્યાર બાદ વેક્સીનેશનનો તમામ સર્વે ડિજિટલી પોર્ટલ પર મેનેજ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાની રસી ક્યારે આવશે? સૌથી પહેલાં કોને અપાશે? બાળકોને ક્યારે અપાશે? અને રસી લીધાં પછી શું સાવચેતી રાખવી? જાણો


ગુજરાતના વેક્સીનેશનના સ્ટેટ કોર્ડિનેટર ડો.નયન જાનીએ જણાવ્યુંકે, વેક્સીન રાખવા માટે ગુજરાત સરકારે ખાસ તૈયારીઓ કરી લીધી છે. ગુજરાતમાં 22 હજાર કોલ્ડ ચેન પોઈન્ટ છે. 33 જિલ્લા અને 8 મહાનગરોમાં વેક્સીન સેન્ટર ઉભા કરવામાં આવ્યાં છે. ડોર ટૂ ડોર સર્વેમાં જેની નોંધણી રહી ગઈ હોય તે સરકારે તૈયાર કરેલાં કોવિડના ડેશ બોર્ડ પર ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. આગામી 6 મહિનામાં દરેકને વેક્સીન આપવાનો સરકારનો લક્ષ્યાંક છે.


રસી માટે કેવી રીતે કરવામાં આવશે નોંધણી?
કોરોનાની રસી માટે ડોર ટૂ ડોર સર્વે થશે. જેમાં તમારે પોતાનું ઓળખનું પ્રમાણપત્ર, પુરુ સરનામું અને મોબાઈલ નંબર આપવાનો રહેશે. જેના આધારે તમારું ઓનલાઈન રજિસ્ટ્રેશન થશે. રસીકરણ સમયે તમારે તમે આપેલો ઓળખનો પુરાવો ખાસ રજૂ કરવાનો રહેશે. 


Corona Update: નવા વર્ષમાં કોરોનાથી છૂટકારો મળવાના પ્રબળ સંકેત, લેટેસ્ટ અપડેટ ખાસ જાણો


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube