ઝી બ્યુરો/સાબરકાંઠા: વિજયનગરના પોળોમાં પ્રવાસી યુવાન સાથે મોટી દુર્ઘટના બની છે. વિજયનગરના પોળોમાં મિત્રો સાથે ફરવા આવેલા પ્રવાસી યુવાનનું પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યું છે. આણંદથી નવ મિત્રો ઇકો લઈને વિજયનગરના પોળોમાં ફરવા આવ્યા હતા. તે દરમિયાન પોળોમાં દરગાહ નજીક નદીમાં પાંચ મિત્રો કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા માટે નાહવા પડયા હતા. નાહવા પડેલ યુવાનો પૈકી અરસીલ વોરા પાણીમાં ડૂબી જતા તેનું મોત થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાપુઆ ન્યૂ ગિનીમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત, પ્રધાનમંત્રી જેમ્સ મારાપે પગે લાગ્યા


આ ઘટનાની માહિતી મળતા જ વિજયનગર પોલીસ તેમજ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વિજયનગર પોલીસ સ્ટેશનના GRDના જવાને મૃત યુવાનને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. પોલીસે વિજયનગર સરકારી હોસ્પિટલમાં લાશને પીએમ માટે ખસેડી હતી.


જમ્મુ-કાશ્મીરમાં 26/11 જેવા આતંકી હુમલાનું ષડયંત્ર, હોટલમાં ઘૂસીને હુમલાનો હતો પ્લાન


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વિજયનગરના પોળોમાં ફરવા આવેલા એક યુવાનનું મોત થયું છે. આણંદથી નવ મિત્રો ઇકો લઈને પોળોમાં ફરવા આવ્યા હતા. પોળોમાં દરગાહ નજીક નદીમાં પાચ મિત્રો ન્હાવા પડયા હતા. આ દરમિયાન અરસીલ વોરા નામના યુવકનું ડૂબી જવાથી મોત હતું. ઘટનાની જાણ થતા વિજયનગર પોલીસ તેમજ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોચી હતા. વિજયનગર પોલીસ સ્ટેશનના GRD ના જવાને મૃત યુવાન બહાર કાઢ્યો હતો. પોલીસે વિજયનગર સરકારી હોસ્પીટલમાં લાશને પીએમ માટે ખસેડી છે.


કરિયર બરબાદ કરવાની ધમકી આપી, એટલું ટોર્ચર કર્યું કે આપઘાતનો વિચાર આવ્યોઃ બાવરી