શૈલેષ ચૌહાણ, સાબરકાંઠા: સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના પૃથ્વીપુરા ગામે આવેલી આશ્રમ શાળામાં અભ્યાસ કરતા કિશોરે આત્મહત્યા કરી લીધી હતી. બનાસકાંઠાના દાંતા તાલુકાના કુકડી ગામનો રહેવાશી અને પૃથ્વીપુરા ગામે રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સ્યુસાઇડ નોટ લખીને ઝાડ પર ગળે ફાંસો ખાઇ લઇને આત્મહત્યા કરી લીધી હતી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાવની વિગત એવી છે કે સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના પૃથ્વીપુરા ગામે આવેલી આશ્રમશાળાના કંપાઉન્ડ વિસ્તારમાં કણજીના ઝાડ પર દોરડા વડે લટકતી હાલતમાં એક કીશોરનો મૃતદેહ જોવા મળ્યો હતો અને જેને લઇને તપાસ કરતા મૃતક કિશોર સ્થાનિક આશ્રમ શાળામાં જ રહીને ધોરણ દશમાં અભ્યાસ કરતો હોવાનુ સામે આવ્યુ હતું. મૂળ બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના કુકડી ગામનો કિશોર વિધ્યાર્થીએ એક તરફી પ્રેમ સંબંધોને લઇને આત્મહત્યા કરી હોવાનુ સ્યુસાઇડ નોટ પરથી પ્રાથમિક રીતે પોલીસે અનુમાનીક તપાસ હાથ ધરી છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube