અમદાવાદ: મોટું ટાલવાળું માથું, બેઠા ઘાટનો દેહ, ધીર ગંભીર ચહેરો, બાંધી દડીનું શરીર, અંગ પર સફેદ ખાદીનું ધોતિયું અને સફેદ ખાદીનું પહેરણ. કોઇ સાધુ જેવી ગંભીર દ્રષ્ટિ, ચહેરા પર દ્રઢ નિશ્ચયબળ અને પ્રામાણિક ચારિત્ર્ય. આ બધાનો સરવાળો કરીએ એટલે સામે જે ચિત્ર ઉપસે તે છે આપણા પોતીકા સરદાર વલ્લભભાઇ પટેલ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યાં જન્મ થયો
31 ઓક્ટોબર 1875ના રોજ નડિયાદમાં પિતા ઝવેરભાઇ અને માતા લાડબાના ચોથા સંતાન તરીકે વલ્લભભાઇનો જન્મ થયો. કરમસદમાં રહેતા ઝવેરભાઇ અને લાડબા બંને ખેડૂત હતા અને ખેતી વડે જ પોતાની આજીવિકા ચલાવતા હતા. માતા-પિતા બંને ધાર્મિક પ્રકૃતિના વ્યક્તિ હોવાથી તેમની ધર્મપરાયણતા. સંયમ, સાહસિકતા, સહિષ્ણુતા અને દેશપ્રેમ જેવા ગુણોનો પ્રભાવ વલ્લભભાઇ પટેલના ચારિત્ર્ય પર સ્પષ્ટ જોવા મળતો હતો.


ક્યાં શિક્ષણ મેળવ્યું
વલ્લભભાઇએ પ્રાથમિક શિક્ષણ તેમના વતન કરમસદની પ્રાથમિક વિદ્યાલયમાંથી જ મેળવ્યું હતું. પિતા ઝવેરભાઇ વલ્લભભાઇને ભણાવવામાં ખૂબ જ રસ ધરાવતા હતા. તે પુત્ર વલ્લભને ભણાવી-ગણાવી એટલો હોશિયાર બનાવવા માંગતા હતા કે ભવિષ્યમાં તેમને ખેતી કરવી ન પડે. જેના કારણે વલ્લભભાઇ બાળપણમાં ખેતરમાં કામ તો કરતા હતા. સાથેસાથે અભ્યાસ પણ કરતા હતા. 22 વર્ષની વયે નડિયાદની સરકારી અંગ્રેજી શાળામાં વલ્લભભાઇએ મેટ્રિકની પરીક્ષા પાસ કરી. જે બાદ તેઓ વકીલાતની પરીક્ષામાં પણ ઉતીર્ણ થયા. જેના લીધે તેમને વકીલાત કરવાની મંજૂરી મળી અને પંચમહાલના ગોધરામાં વકીલાતનો પ્રારંભ કર્યો. વકીલ તરીકે વલ્લભભાઇની ખ્યાતિ ધીમે-ધીમે વધવા લાગી અને જોતજોતામાં વલ્લભભાઇ એક ખ્યાતનામ વકીલ બની ગયા.

Amit Shah આજે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી એકતા પરેડમાં સલામી ઝીલશે


સરદારની સાહસિકતાનો કિસ્સો
વલ્લભભાઇ પટેલ નાનપણથી જ ખૂબ બહાદુર હતા. એક વખત નાનકડા વલ્લભની બગલમાં ફોલ્લો થઇ ગયો. વૈદ્યે તેને ગરમ લોખંડના સળિયાથી ફોડી નાંખવાની સલાહ આપી. વલ્લભભાઇના પરિવારજનો તો ફોલ્લો ફોડી નાંખવાની વાતથી જ ડરી ગયા હતા. આખરે ફોલ્લાને ફોડવા માટે હજામને બોલાવવામાં આવ્યો. જો કે વલ્લભભાઇનો ફોલ્લો જોઇ હજામ પણ તેને ફોડતા અચકાયો. પરંતુ વલ્લભભાઇ પટેલે જાતે જ લોખંડના સળિયાને ગરમ કરીને બિલકુલ ડર્યા વિના તે ફોલ્લાને ફોડી નાંખ્યો. આમ નીડરતા, નિર્ભયતા અને સાહસિકતાના ગુણો વલ્લભભાઇમાં નાનપણમાં જ વિકસ્યા હતા.


13 વર્ષની ઉંમરમાં લગ્ન
સરદાર પટેલના લગ્ન માત્ર 13 વર્ષની ઉંમરે ઝવેરબા સાથે થયા હતા. જોકે ઝવેર બા વધારે દિવસ સુધી સરદાર પટેલની સાથે રહી શક્યા નહીં. જ્યારે પટેલ 33 વર્ષના હતા ત્યારે ઝવેર બાનું કેન્સરના કારણે મૃત્યુ થયું. વર્ષ 1909માં જ્યારે ઝવેર બાની મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે સરદાર પટેલ કોર્ટમાં એક કેસ લડી રહ્યા હતા. હજુ કોર્ટ શરૂ થાય તે પહેલાં જ તેમને એક પત્ર મળ્યો અને તે વાંચીને તેને ખિસ્સામાં મૂકીને કાર્યવાહીમાં લાગી ગયા. જ્યારે તે કેસ જીતી ગયા. ત્યારે તેમના અસીલે પૂછ્યું કે કોનો પત્ર છે અને તેમાં શું લખ્યું છે. જ્યારે તેમણે પતિના નિધનના સમાચાર આપ્યા ત્યારે બધા આશ્વર્યચકિત થઈ ગયા. આ ઘટના દર્શાવે છે કે સરદાર પટેલ કેટલા સહનશીલ હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube