ગૌરવ દવે/રાજકોટ : દરેક વ્યક્તિમાં થોડા ઘણા અંશે ખોટું બોલવાનું વર્તન હોય છે. પોતાના અહમને સંતોષ માટે નાનું મોટું જુઠ મોટાભાગની વ્યક્તિ બોલતી હોય છે. પરંતુ સતત ખોટું અને ખોટી વાતને વધુ શણગારી સાચી બતાવવાની વિકૃતિ પણ હોય છે જેને મિટોમેનિયા (માયટોમેનિયા) તરીકે ઓળખવામાં આવે છે. અહીં વ્યક્તિ તર્ક લગાડી ખૂબ શાંતિથી બહુ મોટું ખોટું બોલી શકે છે. મિટોમેનિયા (Mitomania) ના લક્ષણો, તેની વિશેષતાઓનું વિશ્લેષણ ડો.ધારા આર.દોશી અને ડો.યોગેશ એ.જોગસણ દ્વારા કરવામાં આવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat ના આ ખાસ ઘઉં 7 દેશોમાં થાય છે Export, એકદમ ખાસ છે તેનો સ્વાદ અને ખેતીની રીત


કાઉન્સેલિંગ દરમિયાન આવેલ કેસો
1) એક ભાઈ સતત ખોટી વાતો ઉપજાવી પોતાના સંતાનોને બધે જ ખરાબ રીતે ચિત્રિત કર્યા. ત્યાં સુધી કે લોકોને કહી રાખેલું કે મારી મિલકત મારા છોકરાવ ક્યાંક વેચી આવ્યા છે જો કે એવું કંઈ જ નહોતું.


2) એક 25 વર્ષનો યુવક પોતાની પત્નીને ચરિત્ર વિશે બેફામ બધે નિષેધક વાતો કરતો. કારણ જાણતા ખબર પડી એ પોતે ક્યાંય નોકરી ન કરતો અને પત્ની નોકરી કરી ગુજરાન ચલાવતી એ સહન નહોતું થતું


3) એક ભાઈ જે પોતે પોતાની પત્નીથી છુપાવી ઘણી છોકરીઓ સાથે ડેટિંગ કરતા અને જ્યારે પત્નીને ખબર પડી તો બધો દોષનો ટોપલો તેના પર ઢોળ્યો કે હું કઈ નથી કરતો તારે જ લીધે મારી આ હાલત છે.


શુ છે મિટોમેનિયા (માયટોમેનિયા)?


મિટોમેનિયા (Mitomania) એક માનસિક વિકાર છે જેમાં વ્યક્તિ અનિવાર્યપણે એટલી હદે જૂઠું બોલે છે કે તે પોતાની ખોટી વાતોને માનવામાં સક્ષમ હોય છે અને લોકોને મનાવે પણ છે.


મિટોમેનિયા (Mitomania) એટલે જેમાં લોકો બીજાના ધ્યાનનું કેન્દ્ર બનવા, પોતાની ભૂલ છુપાવવા અને પ્રશંસા મેળવવા માટે સતત અને વારંવાર ખોટું બોલે છે.


આ લોકો વાસ્તવિકતાને ખોટી રીતે અને વિકૃત રીતે વ્યક્ત કરે છે જોકે મોટાભાગના કિસ્સાઓમાં તેઓ જાણે છે કે તેઓ જૂઠું બોલે છે, કેટલીકવાર તેઓ તેમની પોતાની ઉપજાવી કાઢેલ વાત પર વિશ્વાસ કરી બેસે છે અને તેમને વાસ્તવિક સમજે છે.

ખબર છે કેળું કેમ સીધું હોતું નથી? આ રહ્યું કારણ, જાણીને થશે આશ્વર્ય


લક્ષણો

વાસ્તવિકતાને વધારે પડતી રજૂ કરવી
કેટલીકવાર, કોઈ ખોટી વાર્તાની શોધની જગ્યાએ, મેનિયાક વાસ્તવિકતાને વિસ્તૃત અને વધારીને રજૂ કરે છે, તેમાં વધારે પડતું ઉમેરી વધુ રસપ્રદ અને આકર્ષક બનાવવા માટે તેને શબ્દો દ્વારા શણગારે છે.  આ ઉપરાંત, આ લોકો તેમની વાર્તાઓ અતિશયોક્તિ સાથે રજૂ કરશે.


નિમ્ન આત્મગૌરવ અને આત્મ વિશ્વાસ
જૂઠું બોલવાની જરૂરિયાત ઘણીવાર ઓછા આત્મગૌરવ અને કોઈની જિંદગીને સ્વીકારવાની અસમર્થતા અને જલનવૃત્તિને કારણે પણ ઉભી થાય છે.  તેથી પોતાનો ખોટો વિચાર આહલાદક રીતે રજૂ કરે છે.


સતત તણાવ અનુભવવો
સતત ભયની અનુભૂતિ સતત તણાવ અનુભવનાર જૂઠું વધુ બોલે છે. તણાવનો સામનો ન કરવાની ક્ષમતા વ્યક્તિને જુઠ તરફ ધકેલી જાય છે.

પોતાના જુઠને સત્ય માનવાની માનસિકતા
આ પ્રકારનો મેનિયા ધરાવનાર વ્યક્તિ પોતાના જુઠને જ સત્ય માની લે છે અને એ જ રીતે સત્ય માની તેને જીવે છે.


કોને વધુ આવા લક્ષણો જોવા મળ્યા?
જે કેસ સ્ટડી મનોવિજ્ઞાન ભવનમાં થયા અને જેનું વિશ્લેષણ કર્યું તો તેમાં બહેનો કરતા ભાઈઓમાં ખોટું બોલવાની વૃત્તિ વધુ જોવા મળી. જેની પાછળ એક શક્ય કારણ એ પણ કહી શકાય કે ભાઈઓ તર્કથી કોઈ નિર્ણય લેતા હોય અને સ્ત્રીઓ લાગણીવશ કોઈ નિર્ણય લેતા હોય ખોટું બોલવાની માત્રામાં ફેરફાર જોવા મળી શકે.


વિશેષતાઓ
આવી વ્યક્તિની વાતો સામાન્ય રીતે વિચિત્ર હોય છે, બુદ્ધિની બધી હદો પાર કરી નાખે છે. ભ્રામક માન્યતાઓ અને ભ્રામક વાતો નો ખુબ ફેલાવો કરે છે અને વ્યૂહરચના ઘડે છે.જૂઠું બોલવાનું વલણ વ્યક્તિમાં વર્ષોથી પડેલ હોય છે.  આ તાત્કાલિક પરિસ્થિતિ અથવા સામાજિક દબાણને કારણે નથી થતું, પરંતુ વ્યક્તિત્વની જન્મજાત ગુણવત્તાને કારણે હોય છે. પોતાની જાતને સાબિત કરવા તે કોઈપણ હદે જઈ શકે છે. માયથોમેનિયાની મુખ્ય લાક્ષણિકતા એ છે કે આ પ્રકારનો મેનિયા ધરાવનાર વ્યક્તિના વર્ણનો હંમેશાં આકર્ષક અને કાલ્પનિક હોય છે. જો કે, તે જે વર્ણન કરે તે ક્યારેય શક્ય બનતા નથી પરંતુ તેની રજુઆત ખૂબ લાગણીવાળી અને આકર્ષક હોય છે તેથી તે વ્યક્તિ ખોટું બોલે છે તે ઓળખવું ખરેખર મુશ્કેલ છે.


કારણો
મગજમાં અમુક સ્ત્રાવો નું પ્રમાણ વ્યવસ્થિત ન હોવું જેમ કે ફ્રન્ટલ લોબ માં સફેદ સ્ત્રાવ ના અસમપ્રમાણને લીધે થઈ શકે. વ્યક્તિ જ્યારે પોતે તદ્દન ખોટી હોય પણ સમાજમાં સંબધો ટકાવી રાખવા હોય ત્યારે તે હળાહળ ખોટું બોલતી હોય છે.



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube