હિમાંશુ ભટ્ટ/ મોરબી: કારખાનામાં ચાલી રહી છે સ્કૂલ... આ વાતને સાંભળીને જરાપણ ચોકી જવાની જરૂર નથી કેમ કે, મોરબી માળીયા હાઇવે ઉપર આવેલા લિઓલી કારખાનામાં સ્કૂલ ચલાવવામાં આવે છે. આ કારખાનાના માલિક દ્વારા મજૂરનો દીકરો મજૂર જ બને તેવી લોકોની માનસિકતાને બદલાવવા માટે કારખાનું ચાલુ કરવામાં આવ્યું ત્યારથી જ કારખાનામાં ધોરણ 1થી 8 સુધીના વિધ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તેવી સ્કૂલ શરૂ કરવામાં આવી છે. તેના માટે બીએડ સુધીનો અભ્યાસ કરેલ બે શિક્ષિકાઓને પણ ત્યાં રાખવામા આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ગઢડા સ્વામિનારાયણ મંદિર વિવાદ: SP સ્વામીનો આરોપ, કહ્યું- પુરાવા નાશ કરવાની કરી હતી વાત


કોરોનાના લીધે છેલ્લા આઠ માસથી શાળા-કોલેજો બંધ છે અને મોબાઈલ દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જો કે, જે બાળકોની પાસે મોબાઈલ ફોન ન હોય તેમણે શિક્ષણ મળતું નથી. ત્યારે શ્રમિકોના સંતાનોને પણ સારું શિક્ષણ મળે તેના માટે મોરબી માળીયા હાઇવે ઉપર આવેલા લિઓલી કારખાનામાં સ્કૂલ ચલાવવામાં આવે છે. આ કારખાનું વર્ષ 2018થી શરૂ કરવામાં આવ્યું છે. ત્યારથી જ કારખાનામાં કામ કરવા માટે આવતા શ્રમજીવી પરિવારના બાળકોને કારખાનાં સાથે લઈ જવા ન પડે તેના માટે કારખાનના ડાયરેક્ટર મનીષભાઈ ગડારા, મિલનભાઈ ગડારા અને હિતેશભાઇ દેત્રોજા દ્વારા કારખાનામાં જ સ્કૂલ ચાલુ કરવવામાં આવી છે.


આ પણ વાંચો:- રાજ્ય સરકારે કરફ્યૂમાં આપી રાહત, જાણો 4 મહાનગરોમાં સમયમાં કર્યો ફેરફાર


આ કારખાનાની અંદર કામ કરતાં શ્રમિકના સંતાનો ભણવા માટે આવે છે. આ કારખાનાના માલિકે કારખાનામાં જ એક ક્લાસ રૂમ બનાવી આપ્યો છે અને તેમાં બે શિક્ષિકા બહેનોને નોકરીએ રાખ્યા છે. જે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે બાળકોને ભણતર અપાવવાનું કામ કરી રહ્યા છે. બાળકોને હિંદી, ગુજરાતી, અંગ્રેજી, ગણિત જેવા વિષયોનું શિક્ષણ અપાય છે. સાથે ટીચિંગ લર્નિંગ મોડ્યુલ અને રમત-ગમત દ્વારા પણ ભણાવાય છે. કારખાનામાં કામ કરતાં શ્રમિકોને રહેવા માટેની સારી સુવિધા અને તેના બાળકોને યોગ્ય શિક્ષણ મળે તે આ કંપનીના ડાયરેક્ટરનો ગોળ છે.


આ પણ વાંચો:- રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય, 30 જિલ્લાના 1.90 લાખ ખેડૂતોને મળશે લાભ


કેમ કે, કારખાનામાં કામ કરતાં પરિવારોને જો રહેવા અને તેના બાળકોના શિક્ષણ સહિતની ચિંતા ના હોય તો તે તમામ સારી રીતે કામ કરી શકે છે. મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા કારખાનામાં કામ કરતાં મજૂરનાં બાળકોને ઘણી જ્ગ્યાએ શિક્ષણ મળતું નથી. ત્યારે આ કારખાનાના મજૂરોના બાળકોને શિક્ષણ મળતું રહે અને તેમનું ભાવિ ન બગડે તેમજ તેમની અભ્યાસની ટેવ છૂટી ન જાય તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક તેમજ સરકારી તમામ ગાઇડ લાઇનનું પાલન કરીને શ્રમિકોના બાળકોને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. આજની તારીખે 350થી વધુ મજૂરોના 60થી વધુ બાળકો અહી ધોરણ 1 થી લઈને 8 સુધીનો અભ્યાસ કરી રહયા છે.


આ પણ વાંચો:- ‘બાળકોને તંબાકુ ખવડાવીએ, એટલે લાંબો સમય સૂઈ રહે’ આ સાંભળીને સુરતના દંપતીએ જે કર્યું તે જાણીને ગર્વ થશે


હાલમાં તો કોઈ ટ્યુશન હોય તો પણ ફી લેવામાં આવતી હોય છે. જો કે, આ કારખાનામાં ચાલતી સ્કૂલમાં ભણવા માટે આવતા વિદ્યાર્થીઓ પાસેથી કોઈ ફી લેવામાં આવતી નથી. આ ઉપરાંત દરેક બાળકને તેમની ઉંમર પ્રમાણે સ્કુલ બેગ અને પુસ્તકો આપવામાં આવે છે. તેમજ દરરોજ સવારે ફ્રુટ અને સાંજે સુકો નાસ્તો પણ આપવામાં આવે છે. પંદર દિવસે આ બાળકોનો કોરોના ટેસ્ટ પણ કરાય છે અને તે દિવસે તેમને પાર્ટી પણ આપવામાં આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube