અમદાવાદઃ હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ આંદોલન પહેલા અમદાવાદમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર એકે સિંઘે જાહેરનામુ બહાર પાડીને શહેરમાં 14 દિવસ સુધી કલમ 144 લાગુ કરી દીધી છે. જે 25 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધીનું રહેશે. જેને પગલે હવે શહેરમાં એક જ સ્થળે લોકોનું ટોળુ એકઠા નહીં થઈ શકે. સાથે જ પોલીસ કમિશનરે પોતાના જાહેરનામામાં ઈજા પહોંચે તેવા હથિયારો સાથે રાખવાની મનાઈ ફરમાવી છે.  સ્ફોટક પદાર્થ સાથે નહીં રાખવા, પથ્થર હથિયારો સાથે એકઠા ન થવું, સળગતી મશાલો સરઘસ સાથે ન રાખવી, વ્યક્તિ અથવા આકૃતિ અથવા પૂતળા ન દેખાડવા, એકઠા થઇને બૂમો ન પાડવી, છટાદાર ભાષણો ન આપવા, જેનાથી રાજ્યની સલામતી જોખમાય એ કાર્ય ન કરવા આદેશ કરવામાં આવ્યા છે.