ચેતન પટેલ, સુરત: લોકસભાની ચૂંટણીના પડધમ શરુ થઇ ચુકયા છે ત્યારે સુરતમા મહિલાઓ દ્વારા નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને તે માટે અનોખો પ્રયાસ કર્યો હતો. 532 મહિલાઓ દ્વારા 108 કુંડીમા શનિ યજ્ઞ કરવામા આવ્યો હતો. જેમા તેઓએ શનિદેવને નરેન્દ્ર મોદીને ફરીથી લોકસભાની ચૂંટણી જીતાડવા માટે પ્રાથના કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: પરેશ રાવલે લોકસભા ચૂંટણી લડવાનો કર્યો ઇન્કાર, માત્ર PM મોદી માટે કરશે પ્રચાર


લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ પક્ષો દ્વારા જીત માટે એડીચુટીનું જોર લગાવવામા આવી રહ્યુ છે ત્યારે સુરતની મહિલાઓ દ્વારા નરેન્દ્ર મોદી ફરીથી સરકાર બનાવે તે માટે અનોખો પ્રયાસ કર્યો હતો. મોદી વિચાર મંચ દ્વારા કાપોદ્રા સીધ્ધકુટિર મંદિરના તાપી તટે એક શનિ યજ્ઞનું આયોજન હાથ ધરવામા આવ્યુ હતુ. મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓએ આગામી લોકસભા ચુંટણીમાં એનડીએ સ્પષ્ટ બહુમત સાથે કેન્દ્રમાં સરકાર બનાવે અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી વધુ એક વખત પ્રધાન મંત્રી પદની શપથ લે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...