Banaskantha News : બનાસકાંઠાના થરાદમાં આયોજિત એક કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ કોન્ટ્રાકટરોને ખુલ્લી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, કામમાં કચાશ રાખશો તો સીધા ઘર ભેગા થશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે થરાદમાં વિકાસના કામોના ખાત મુહૂર્ત દરમ્યાન વિધાનાસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કોન્ટ્રાકટરોને ચેતવણી રૂપ ટકોર કરી હતી. તેમણે જાહેરમાં કહ્યું કે, કોઈ રૂપિયા માંગે તો મને કહેજો બાકી કામમાં કોમ્પ્રોમાઇઝ હશે તો બ્લેક લિસ્ટમાં જશો. અહી તમારી પાસેથી એક રૂપિયો માંગે તો મને કહેજો પરંતુ જો કામમાં લાપરવાહી દાખવી તો બ્લેકલિસ્ટેડ થશો. તમારું કંઈ નહિ થાય. આ કામ આટલેથી અટકતુ નથી. હજી ઘણા કામ આપણને કરવાના છે. 


ગુજરાતમાં આજથી ભારે વરસાદનો નવો રાઉન્ડ, હવામાન વિભાગે 14 જિલ્લાઓને આપી ચેતવણી


અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા ભણશે ગુજરાતમાં, અમદાવાદની આ કોલેજમાં મળ્યું એડમિશન