• સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર #AgainstLiquorBanChallenge હેશટેગ સાથે લોકોનો મત માંગ્યો.

  • તેઓએ સોશિયલ મીડિયા પર નામ માત્રની દારૂબંધીના નુકસાન અને દારૂબંધી હટાવવાના ફાયદા ગણાવ્યા


ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આક્રમક તેવર બતાવી ચૂક્યા છે. તેઓ ગુજરાતમાંથી દારૂબંધી (Liquor ban) હટાવવાના પક્ષમાં છે. આ વિશે અનેકવાર તેઓ જાહેરમાં બોલી ચૂક્યાં છે. ત્યારે હવે ગુજરાતમાં દારૂબંધીની છૂટ આપવા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (Shankarsinh Waghela) એ અભિયાન શરૂ કર્યું છે, જેમાં તેઓએ ગુજરાતીઓને સ્પષ્ટ વાત પૂછી છે કે, શું તમે પણ દારૂબંધીની ખોટી નીતિનો વિરોધ કરો છો? આ ઉપરાંત તેઓએ દારૂબંધીની વિરુદ્ધમાં એક અભિયાન પણ શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર #AgainstLiquorBanChallenge હેશટેગ સાથે લોકોનો મત માંગ્યો છે. 


આ પણ વાંચો : પુરુષોત્તમ સોલંકીનું મોટું રાજકીય નિવેદન, કુંવરજી બાવળિયાથી મારા કદને કોઈ ફરક નહિ પડે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકોને પોતાનો અવાજ ઉઠાવવા કહ્યું...
તેઓએ સોશિયલ મીડિયા પર નામ માત્રની દારૂબંધીના નુકસાન અને દારૂબંધી હટાવવાના ફાયદા ગણાવ્યા છે. #AgainstLiquorBanChallenge હેશટેગ સાથે તેઓએ લોકોને પોતાનો અવાજ ઉઠાવવા કહ્યું છે. તેઓએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, દારૂના બ્લેક માર્કેટને કારણે ન તો રાજ્યને ટેક્સ મળી રહ્યો છે, ન તો રોજગાર ઉભો થઈ રહ્યો છે. દારૂબંધી હટશે તો ટુરિઝમને બળ મળશે અને રોજગાર પણ ઉભો થશે. સાથે જ તેમણે ઝેરી કેમિકલવાળો દારૂ પીવા લોકો મજબૂર થયા છે તેવી વાત કરી હતી. 


વિવાદમાં નામ આવતા હકુભા જાડેજાની સ્પષ્ટતા, ‘માફિયા-ગુંડાતત્વો સાથે મારો કોઈ સંબંધ નથી’


29 સપ્ટેમ્બરથી બદલાઈ રહી છે શનિની ચાલ, આ રાશિઓની શરૂ થશે સાડાસાતી પનોતી


ભારતને ગુલામ બનાવનાર બ્રિટિશ કંપનીનું સુકાન એક ગુજરાતીના હાથમાં છે