અમદાવાદ :મહા વાવાઝોડા (maha cyclone) નું સંકટ ભલે ટળી ગયું હોય, પરંતુ વરસાદી આફત અને પવનનું સંકટ તો માથે છે જ. વાવાઝોડું સૌરાષ્ટ્ર (Saurastra) ના કાંઠા પર ટકરાવાનું નથી, પરંતુ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવામાં દરિયા કાંઠાના અનેક વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકોને સલામત સ્થળો પર પહોંચાડવામાં આવી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરોડપતિ ખાનદાનનો યુવક આખરે કેમ સિમલાની હોટલમાં વાસણ ધોતો હતો?


મોરબી દરિયો વિસ્તાર ખાલી કરાવાયો
મોરબી જિલ્લામાં મહા વાવાઝોડાની અસરને લઇને આરોગ્ય વિભાગ એક્ટિવ બન્યું છે. દરીયાપટ્ટીના વિસ્તારમાંથી સગર્ભા મહિલાઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અગમચેતીના ભાગરૂપે 45 જેટલી સગર્ભા મહિલાઓને સલામત સ્થળે ખસેડવામાં આવી છે. મહિલાઓને ડિલિવરી સમયે હેરાનગતિ ન થાય તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર લઈ જવાઈ છે. 


કમોસમી વરસાદથી નુકશાન વેઠી રહેલા ખેડૂતો માટે કૃષિ મંત્રીએ કરી મહત્વની જાહેરાત


‘મહા’ આફત ટળી : સૌરાષ્ટ્રમાં નહિ, પણ મહારાષ્ટ્ર તરફ જાય તેવી શક્યતા


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube