દ્વારકા: યાત્રાધામ દ્વારકા નજીક આવેલ વિશ્વ પ્રસિદ્ધ બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચ સહેલાણીઓ માટે આજથી ખુલો મૂકાયો છે. અગાઉ ભારે વરસાદ, પવન અને દરિયામાં કરંટના કારણે દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી સહેલાણીઓ માટે શિવરાજપુર બીચ બંધ રાખવામાં આવ્યો હતો. હાલ વાતાવરણ સ્વચ્છ થતાં શિવરાજપુર બીચ પર સહેલાણીઓ માટે અવર જવરની છૂટ આપવામાં આવી છે. પંરતુ જ્યાં સુધી દરીયાઇમાં ભારે કરંટ તેમજ પવન હળવો ન થાય ત્યા સુધી સહેલાણીઓને બીચમાં સ્વિમિંગ કરી શકે નહિ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"396082","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી છે. શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મળતા પ્રવાસન ક્ષેત્રને વિકાસને નવી ગતિ મળી છે. કુદરતના સૌંદર્યનો અદભૂત નજારો જોવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ શિવરાજપુર બીચ પહોંચે છે. ત્યારે અહીંની સુંદરતાને જોઈ લોકોની આંખો ચાર થઈ જાય છે. બ્લુ કલરનું એકદમ સ્વચ્છ પાણી ધરાવતો શાંત દરિયા કિનારો પ્રવાસીઓને જાણે વિદેશમાં ફરતા હોય એવી અનુભૂતિ કરાવે છે.


ગુજ્જુ બોયનું કોમનવેલ્થમાં શાનદાર પ્રદર્શન, હરમીત દેસાઈએ ટેબલ ટેનિસમાં જીત્યો ગોલ્ડ


[[{"fid":"396081","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ત્યારે વરસાદી વાતાવરણ વચ્ચે ભારે વરસાદ, પવન અને દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. જેના કારણે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી સહેલાણીઓ માટે શિવરાજપુર બીચ બંધ રાખવામાં આવ્યો હતો. જોકે, હાલ વાતાવરણ સ્વચ્છ થતાં શિવરાજપુર બીચ પર સહેલાણીઓ માટે અવર જવરની છૂટ આપવામાં આવી છે. પંરતુ જ્યાં સુધી દરીયાઇમાં ભારે કરંટ તેમજ પવન હળવો ન થાય ત્યા સુધી સહેલાણીઓને બીચમાં સ્વિમિંગ કરી શકે નહિ તેવું જણાવવામાં આવ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube