ગાંધીનગર : ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતો જઇ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. રોજેરોજ આંકડા જે પ્રકારની છલાંગો લગાવી રહ્યા છે તે જોતા ગુજરાત પણ મહારાષ્ટ્રનાં રસ્તે જઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં આજે 9541 નવા કોરોનાના કેસ નોંધાયા. જ્યારે 3783 લોકો સાજા થયા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધીમાં કુલ 88,08,994 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 13,61,550 નાગરિકોનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 1,01,70,544 રસીકરણનાં ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે ઉંમરનાં અને 45થી 60 વર્ષનાં કુલ 87,932 લોકોને પ્રથમ ડોઝ અને 56,047 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું. જો કે રાજ્યમાં હજી સુધી કોઇને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. 


રાજ્યમાં આજે કોરોનાના નવા 9541 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાંથી 3783 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ પણ ગગડીને 84.61 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 3,33, 564 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.


રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો 55398 કુલ બેડ છે. જ્યારે 304 લોકો વેન્ટિલેટર પર છે. 55094 લોકો સ્ટેબલ છે. 333564 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 5267 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 97 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં સુરત કોર્પોરેશન 26, અમદાવાદ કોર્પોરેશન 25, રાજકોટ કોર્પોરેશન 8, વડોદરા કોર્પોરેશન 7, સુરેન્દ્રનગર 6, મોરબી 3, બનાસકાંઠા 2, ભાવનગર 2, ભાવનગર કોર્પોરેશ 2, જામનગર 2, જામનગર કોર્પોરેશન 2, મહેસાણા 2, રાજકોટ 2, ભરૂચ, બોટાદ, ડાંગ, ગાંધીનગર કોર્પોરેશન, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, વડોદરામાં કુલ 1-1 લોકોનાં મોત નિપજ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube