અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ  અમદાવાદ શહેરમાં ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે. હવે શહેરના એક રેસ્ટોરન્ટના મસાલા પાપડમાંથી જીવતો વંદો નીકળ્યો છે. શહેરના ડ્રાઇવીન રોડ પર આવેલી કબીર રેસ્ટોરન્ટમાં આ ઘટના બની છે. કબીર રેસ્ટોરન્ટની ઘોર બેદરકારી સામે આવી છે. મસાલા પાપડમાંથી વંદો નીકળવાની ઘટના સામે આવ્યા બાદ રેસ્ટોરન્ટના સંચાલકો ચૂપ થઈ ગયા છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કબીર રેસ્ટોરન્ટની ઘટના
અમદાવાદના ડ્રાઇવઈન રોડ પર આવેલા કબીર રેસ્ટોરન્ટમાં મસાલા પાપડમાંથી જીવતો વંદો નીકળ્યો છે. મસાલા પાપડમાંથી વંદો નીકળતા ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યાં જમવા પહોંચેલા ગ્રાહકે ઓર્ડર કર્યો હતો. શરૂઆતમાં મસાલા પાપડ આવ્યો અને તેમાં વંદો નીકળ્યો હતો. ત્યારબાદ તે જમ્યા વગર ત્યાંથી નીકળી ગયા હતા. આ ગ્રાહકે રેસ્ટોરન્ટનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube