બુરહાન પઠાણ/આણંદ : ભારત્ત સરકારના કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે વિદ્યાનગર ખાતે આવેલી ચારૂત્તર વિદ્યા મંડળ યુનિવર્સીટીની મુલાકાત લઈ આ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓએ રજુ કરેલા સ્ટાર્ટઅપ પ્રોજેકટને નિહાળ્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓ સાથે મોકળા મને સંવાદ કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચારુતર વિદ્યા મંડળ યુનિર્વસિટી ખાતે કેન્દ્રીય રાજય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતુ કે, આવનારો દાયકો ભારતનો છે. આવનારા ૧૦ વર્ષ "ન્યૂ ઇન્ડિયા ફોર યંગ ઇન્ડિયા"ના સૂત્રને સરકાર અને યુવાઓ સાથે મળીને સાર્થક કરશે. આજે સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે કોઈ મોટા પરિવાર સાથે જોડાયેલા હોવું જરૂરી નથી. સરકારની સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી અને અન્ય સહાયો સ્ટાર્ટઅપને વિચારબીજની શરૂઆતથી લઇને માર્કેટમાં લઇ જઇને સ્કેલઅપ કરવા સુધીનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.


રાજકોટમાં હાઇફાઇ બર્થ ડે પાર્ટી ઉજવવા માટે યુવાનોએ આખી બિલ્ડિંગનો ભંગાર ચોરી કર્યો


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાંચ ટ્રિલિયન ડોલરની ભારતની ઈકોનોમી બનાવવાના સ્વપ્નને સાકાર કરવા સ્ટાર્ટઅપ અને ઈનોવેશન ખૂબ મોટી ભૂમિકા ભજવશે. આ પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમીમાં એક ટ્રિલિયન ડોલરનું પ્રદાન ડિજિટલ ઈકોનોમીનું હશે. આજે ભારત સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સહિસકતાના મોટા માર્કેટ તરીકે ઉભરી રહ્યું છે. ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે, તેમ જણાવી મંત્રીએ કહયું હતુ કે, ઈન્ટરનેટ, ટેકનોલોજી, ડિજિટલ, સ્પેસ ટેકનોલોજી જેવા વિવિધ ક્ષેત્રમાં ભારતના ઘણા સ્ટાર્ટઅપ ઊભરી આવ્યા છે. એટલું જ નહીં, આજે ભારત સેમીકન્ડકટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે, જેના પરિણામે ૨૦૧૩-૧૪ માં ૫૦૦ સ્ટાર્ટઅપ હતા. જે આજે ૬૧,૪૦૦ એ પહોંચ્યા છે. આજે આપણે અંદાજીત ૮૦ હજાર કરોડના મૂલ્યના ૧૦૦ યુનિકોન સ્ટાર્ટઅપ સાથે વિશ્વમાં ત્રીજા નંબરનું સ્થાન મેળવ્યું છે. જે આપણા સૌ માટે એક ગૌરવની વાત છે.


મેક ઇન ઇન્ડિયા, સ્કીલ ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયાના સ્તંભ પર નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. ભારત આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. તેમ જણાવી મંત્રીએ ઉમેર્યું હતુ કે, ભારતમાં ટેકનોલોજી અને સ્કીલ ડેવલપમેન્ટ ક્ષેત્રે રહેલી વિશાળ તકો દેશમાં "Techade of opportunities" સર્જશે. આજે ડિજિટલ ટેક્નોલોજી વડે સરકાર દ્વારા પહોંચાડાતી સહાય સીધી લાભાર્થીના બેંક એકાઉન્ટમાં DBTના માધ્યમથી પહોંચે છે. વડાપ્રધાનના ડીજીટલાઈઝેશનના વિચારના કારણે આજે આપણે વિશ્વના સૌથી વિશાળ ફિનટેક ઈકો સીસ્ટમ તરિકે ઉભરી રહયાં છીએ. યુપીઆઈ ટ્રાન્ઝેકશનમાં આપણે સમગ્ર વિશ્વમાં મોખરે છીએ. ઈલેકટ્રોનિકસ મેન્યુફેકચરીંગમાં આપણે હરણફાળ ભરી છે. જ્યારે મોબાઈલ મેન્યુફેકચરીંગમાં આપણે વિશ્વમાં બિજા નંબરનુ; સ્થાન ધરાવતા થયા છીએ.


કામરેજના શિક્ષકે વિદ્યાર્થીને એટલા ડંડા માર્યા કે, શરીર પર લાલ ચકામા ઉપસી ગયા


કોવીડ મહામારીએ જ્યારે વિશ્વના દેશોને ઘેરી લીધી હતી, તેવા સમયમાં પણ ભારતેતેના સામર્થ્યના દર્શન વિશ્વને કરાવ્યા છે. કોરોનાની મહામારી અને ત્યારબાદના મહામારીના સમયમાં જયારે વિશ્વના મોટા દેશો સંઘર્ષરત હતા. ત્યારે પણ ભારતે ૨૦૦ કરોડ સ્વૈચ્છીક વેકસીનેશન અને ૮૦ કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરી વિશ્વમાં એક નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે. આ પ્રસંગે ગુજરાતના શિક્ષણ રાજય મંત્રી ડો. કુબેર ડીંડોરે જણાવ્યું હતુ કે, સરદાર વલ્લભભાઇ પટેલ અને કાકા જેવા મહાપુરૂષોએ શિક્ષણનો સમૃધ્ધ વારસો આપ્યો છે. જેના વિચારોને ચારૂત્તર વિદ્યા મંડળ સાચા અર્થમાં સાકાર કરી રહી છે. શિક્ષણ સાથે ઉદ્યોગ એ આ સંસ્થાના પાયામાં છે.


ગુજરાતે સમગ્ર દેશમાં શિક્ષણનું હબ બને તે માટે રાજય સરકાર કટીબધ્ધ હોવાનું જણાવી મંત્રીએ ઉમેર્યું હતુ કે, રાજયમાં શિક્ષણના કાર્યોને વેગ આપવાની સાથે શિક્ષણની ગુણવત્તામાં વધારો થાય તે માટે છેલ્લા બે દાયકામાં સરકારે અનેકવિધ કાર્યો હાથ ધર્યા છે. જેના પરિણામે આજે દેશના અન્ય રાજયોમાંથી જ નહી પરંતુ વિદેશથી પણ વિદ્યાર્થીઓ અહિંયા શિક્ષણ મેળવવા આવી રહયાં છે. મંત્રીએ ૨૧ મી સદી એ યુવાઓની સદી છે, અને તેથી જ ગુજરાતમાં યુવાઓ - ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા રાજય સરકારે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલીસી જાહેર કરીને તેમાં ૫૦૦ કરોડના બજેટની ફાળવણી કરવામાં આવી હોવાનું જણાવી ઉપસ્થિત યુવાઓને સ્ટાર્ટઅપ શરૂ કરવા પ્રેરણાત્મક સૂચન કર્યુ હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube