રવિ અગ્રવાલ/વડોદરા : સોખડા સ્વામિનારાયણ મંદિરના હરીપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા બાદ નવા ગાદીપતિ કોણ બનશે તે વાતને લઈ વિવાદ હજુ શમી રહ્યો નથી. અગાઉ કેટલાક ભક્તોએ પ્રબોધ સ્વામીને ગાદીપતિ બનાવવાની માંગ કરતા વિવાદ વધુ ઘેરાયો હતો. ત્યારબાદ મંદિરના વરિષ્ઠ સંતોએ નવા ગાદીપતિના નામનો ખુલાસો કરી વિવાદનો અંત લાવ્યા હતા. જેના કારણે ઘીના ઠામમાં ઘી ઢોળાયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે સોખડા સ્વામિનારાયણ ગાદી વિવાદ મામલે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ત્યાગ વલ્લભ સ્વામી સાથે ZEE 24 કલાકની ખાસ વાતચીતમાં સોખડા મંદિરના નવા આધ્યાત્મિક અનુગામીની જાહેરાત કરાઈ છે.  ત્યાગ વલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે, હરી પ્રસાદ સ્વામીએ પ્રેમ સ્વરૂપ સ્વામીના નામની જાહેરાત કરી હતી. હવે ગાદીપતિને લઈ કોઈ વિવાદ ન થવો જોઈએ તેવું ત્યાગ વલ્લભ સ્વામીએ જણાવ્યું છે.


સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિની જાહેરાત થતા ઘણા સમયથી નવા ગાદીપતિને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. ત્યાગ વલ્લભ સ્વામીએ ઝી 24 કલાક સાથે વાત કરતા સોખડા મંદિરના નવા આધ્યાત્મિક અનુગામી તરીકે પ્રેમ સ્વરૂપ સ્વામીની જાહેરાત કરી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube