Child Death : આજકાલ જુવાનિયાઓને મોત સામાન્ય બની ગયું છે. ગમે ત્યારે ગમે તે સમયે મોત આવી રહ્યું છે. આવામાં સગીર બાળકો પણ મોતનો શિકાર બની રહ્યાં છે. રાજકોટમાં માત્ર 12 વર્ષના વિદ્યાર્થીનીનું એકાએક મોત નિપજ્યું છે. રાજકોટનો 12 વર્ષનો વ્રજ ગીરીશભાઈ સોરઠીયાનું ધ્રોલમાં બેભાન થઈ જતાં મોત નિપજ્યુ છે. તે શિક્ષક રાજેન્દ્રભાઇ બારડને ત્યાં રહી સૈનિક સ્કૂલની તૈયારી કરતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના ગોંડલ રોડ પર રહેતા ગિરીશભાઈ સોરઠીયા કારખાનામાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. મોટી દીકરી ધોરણ 11 માં અભ્યાસ કરે છે, તો દીકરો વ્રજ સોરઠીયા ધોરણ-6 માં અભ્યાસ કરે છે. પુત્ર વ્રજ સોરઠીયા ભણવાની સાથે સૈનિક સ્કૂલ માટે તૈયારી પણ કરી રહ્યો હતો. તેથી ધ્રોલ ખાતે દર શનિવારે તેમજ રવિવારે શિક્ષક રાજેન્દ્ર બારૈયા પાસે રહીને તૈયારી કરતો હતો. 


આને સ્વર્ગ કહેશો કે સ્વિત્ઝર્લેન્ડ, વિશ્વાસ નહિ થાય કે આ ગુજરાતનું જ એક સુંદર સ્થળ છે


તૈયારીને કારણે તે સોમવારે પણ શિક્ષકના ઘરે રોકાયો હતો. જેમાં તે રાતે 10.30 કલાકે સૂતો હતો, સવારે 4.30 વાગ્યા શિક્ષક રાજેન્દ્ર બારૈયાએ ચેક કર્યુ, તો તે અલગ જગ્યાએ જોવા મળ્યો હતો. વ્રજ બેભાન હોવાથી શિક્ષક તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યા તબીબોએ તેનું સુગર લેવલ 448 જેટલું આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. ધ્રોલ સારવાર આપ્યા બાદ બાળકને સારવાર અર્થે રાજકોટ શહેરની ગોકુલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં બાળકને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. 


અમદાવાદના ગુમ પાટીદાર યુવકની લંડનમાં લાશ મળી, આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો


 


ખુશખબર! ઘટી ગયા સિંગતેલ તેલના ભાવ, જાણો શું છે આજનો લેટેસ્ટ ભાવ


સુરતમાં ધંધામા નિષ્ફળ ગયેલા યુવકનો આપઘાત
સુરતમાં ઓનલાઇન ધંધામાં નિષ્ફળતા મળતા સરથાણાના યુવકે ચોથા માળેથી પડતું મુકી જીવન ટૂંકાવ્યું છે. સરથાણાની યોગીચોક વિસ્તારની ઘટના છે. જેમાં મૃતક યુવક બિલ્ડીંગના પાછળના ભાગેથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો. યુવકને સારવાર સ્મીમેર લવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવકનું નામ અંકિતભાઈ મનહરભાઈ પાદરીયા છે, જેઓ 26 વર્ષના હતા. તેણે અલગ અલગ ધંધામાં નીષ્ફળતા બાદ હાલ ઓનલાઈન વેપાર શરૂ કર્યો હતો. જોકે તેમાં પણ ફાવટ ન આવતા હતાશ થયો હતો. અંતે રાત્રે તેઓ ઘરે ન આવતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. દરમ્યાન મળસ્કે એપાર્ટમેન્ટના પાછળના ભાગમાંથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો. બનાવ સંદર્ભે સુરત પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.


ઓગસ્ટ નહિ જાય કોરો, આગામી 5 દિવસ ગુજરાતમાં ધમાકેદાર વરસાદની અંબાલાલ પટેલની અગાહી