સંદીપ વસાવા/સુરત :સુરતમાં 'બાવા' શબ્દનો ઉલ્લેખ કરી સગીરે મોત વ્હાલુ કર્યું છે. માતાના વિરહમાં એક 13 વર્ષના કિશોરે બાવાનો ઉલ્લેખ કરી આપઘાત કર્યો છે. સાથે જ તેણે લખેલી એક નાનકડી સ્યૂસાઈડ નોટમાં માતાને મળવા માટે આપઘાત કર્યો હોવાનો સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. દોઢ વર્ષ પહેલાં કિશોરની માતા બાવા સાથે ચાલી ગઈ હતી. ત્યારે આ બાવો કોણ છે તેની પોલીસ તપાસ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના કામરેજના ખોલવડમાં 13 વર્ષીય પાર્થ નામના કિશોરે આત્મહત્યા કરી છે. ઘટના સ્થળેથી પોલીસને સગીરના હાથેથી લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી છે. આ સ્યુસાઇડ નોટમાં સગીરે કોઈ બાવાનો ઉલ્લેખ કર્યો છે અને પોતાની માતાને મળવા માટેનો સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. 



સ્યુસાઈડ નોટમાં કિશોરે લખ્યું કે, માતાને મળવું હોઈ તો તારા પપ્પાને કે મને કાંઈના કરે તેવું બાવાએ કહ્યું. ઉલ્લેખનીય છે કે, દોઢ વર્ષ પહેલાં કિશોરની માતા બાવા સાથે ચાલી ગઈ હતી અને હાલ પોલીસ આ બાવો કોણ છે અને ક્યાં છે એની પોલીસ તપાસ કરી રહી છે. 



આ મામલે પાર્થના પિતાએ નરસિંહ વહાંણકાએ કહ્યુ કે, હું કામથી બહાર ગયો હતો એટલે મને પાર્થ વિશે ખબર ન પડી. 20 વર્ષ સુધી અમારો પતિપત્નીનો સંસાર ચાલ્યો હતો. ત્યાર બાદ અમે છુટાછેડા લીધા હતા. ઘનશ્યામ ભાઈને પાર્થ બાવો કહેતો હતો. આ બાવાએ પાર્થને ધાકધમકી આપી હોઈ શકે છે. પાર્થ એની મમ્મીને મળવા માટે વારંવાર કહેતો હતો. મેં પાર્થને સમજાવ્યો હતો. એ ઘરે એકલો રહેતો હતો. તેથી મને ખબર ન પડી. મમ્મીને મળવું હોય તો તારા પપ્પાને કહેજે કે, મને કઈ નંઈ કરે તેવી વાત પાર્થે કરી હતી.