સુરત: સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરે પીડિતાને લાફા માર્યા હોવાની ઘટના સામે આવી છે. દુષ્કર્મ કેસની પીડિતાને પોલીસ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લાવી હતી. જ્યાં ગાયનેક વોર્ડના રેસિડેન્ટ ડોક્ટર નિધિએ પીડિતાને લાફા માર્યા હતા. ગાયનેક રેસિડેન્ટની ઉગ્રતા જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. સામાન્ય રીતે ડોક્ટર અને શાંત હોય છે. ત્યારે આ તબીબી કેમ મહિલાને લાફા માર્યા  એ તપાસની વિષય છે.  


મામલો સામે આવતા તબીબને ટ્રોમા સેન્ટરમાં બોલાવાયા હતા. તો માથાભારે તબીબે સોનોગ્રાફી રિપોર્ટ પણ ફાડી નાખ્યો હતો. પોલીસ અને પીડિતાને વહેલી સવાર સુધી જ હોસ્પિટલમાં બેસાડી રખાયા હતા. આ ઘટના અંગે તપાસ કરવા કમિટી બનાવાય તેવી પણ શક્યતા છે..