સુરતની રાણી સતી મીલમાં ભીષણ આગ લાગી, બ્રિગેડ કોલ જાહેર થતા જ 15 ગાડીઓ પહોંચી ગઈ
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી રાણી સતીની મીલમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીગળી હતી. આગ વિકરાળ બનતા બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો, પાંચ સ્ટેશનનો ફાયર સ્ટાફ આગ બૂઝવવાની કામગીરીમાં જોડાયો હતો. આગ એટલી બેકાબૂ બની હતી કે, બે કિલોમીટર સુધી આગની જ્વાળાઓ જોવા મળી હતી. જોકે, સમગ્ર આગકાંડમાં જાનહાનિમાં હાલ જાનહાનિના સમાચાર મળ્યા નથી.