ચેતન પટેલ/સુરત :રામાયણમાં ઉલ્લેખિત પૌરાણિક રામસેતુનો ઉલ્લેખ છે. જેની ઝલક હવે સુરતના ગણેશ પડાલમાં જોવા મળી રહી છે. સુરત સિવિલ એન્જિનિયર, ડોક્ટર અને વકીલ મળીને ભવ્ય રામસેતુનો સ્વરૂપ ગણેશ મંડપને આપ્યું છે. રામ સેતુ પાર કરીને ગણેશજીના દર્શન થાય છે એટલું જ નહીં અહીં રામ નામના પથ્થર પણ તરતા જોવા મળે છે. સાથે સાથે ઓર્ગન ડોનેશનને લઈ પણ જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અડાજણ વિસ્તારમાં વાસ્તવ ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના માટે ખાસ પંડાલ બનાવવામાં આવ્યું છે. આ પંડાલમાં પ્રવેશ કરતાંની સાથે રામાયણનો અદભુત નજારો સામે આવી જાય છે. પાણી વચ્ચે એક સેતુ બાંધવામાં આવ્યો છે અને આ સેતુને રામસેતુ નામ આપવામાં આવ્યું છે, જેને પાર કરીને ગણેશજીના દર્શન થાય છે. 


[[{"fid":"401402","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"surat_ganesh_zee3.jpg","field_file_image_title_text[und][0][value]":"surat_ganesh_zee3.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"surat_ganesh_zee3.jpg","field_file_image_title_text[und][0][value]":"surat_ganesh_zee3.jpg"}},"link_text":false,"attributes":{"alt":"surat_ganesh_zee3.jpg","title":"surat_ganesh_zee3.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


આ રામસેતુની આજુબાજુ વાનર સેના ના દર્શન પણ થાય છે. જે રામસેતુ બનાવી રહ્યા છે જે પણ કોઈ ભક્તોને ગણેશ બાપ્પાના દર્શન કરવા હોય તો આ રામસેતુને પાર કરીને જ દર્શન થઈ શકે છે. સાથે જ રામસેતુમાં તરતા પત્થરો પણ મૂકાયા છે. પંડાલમાં શ્રીજીના દર્શન સાથે રામસેતુના દર્શન થાય છે. આશરે એક ફૂટ પાણીમાં આ સેતુ બનાવવામાં આવ્યો છે. જેને પાર કરવામાં લોકોને રોચક અનુભૂતિ પણ થાય છે. 


[[{"fid":"401403","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"surat_ganesh_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"surat_ganesh_zee.jpg"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"surat_ganesh_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"surat_ganesh_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"surat_ganesh_zee.jpg","title":"surat_ganesh_zee.jpg","class":"media-element file-default","data-delta":"2"}}]]


પંડાલમાં આ સેતુ બનાનાર સુરતના યુવાઓ છે. જેમાંથી એક સિવિલ એન્જિનિયર વાસુ શાહ, રેડીયોલોજીસ્ટ ધર્મ ડોઢિયા અને વકીલ ક્રિષ્ના જરીવાળા છે. રામસેતુ બનાવવામાં એન્જિનિયરિંગ તકનીકનો લાભ લેવામાં આવ્યો છે. જેથી દસ દિવસ સુધી આ રામસેતુમાં હજારોની સંખ્યામાં રોજે ભક્તો દર્શન કરે અને આ મજબૂતાઈથી અડીખમ રહે.