• સંદીપને રૂપિયાની જરૂરિયાત હોય તેણે કતારગામ ધનમોરા રોડ પર આવેલ પ્રસંગ જવેલર્સમાં સોનાના દાગીનાની લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો

  • સુરત શહેર પણ ગુનાખોરીનો અડ્ડો બની ગયો છે. સુરતમાં ગુંડારાજ પ્રસરી રહ્યું છે


ચેતન પટેલ/સુરત :સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા પ્રસંગ જ્વેલર્સમાં ત્રણેક દિવસ અગાઉ લૂંટારુંઓ ત્રાટક્યા હતા. લૂંટના ઈરાદે આવેલા બન્ને લૂંટારૂઓએ દાગીના જોતા જોતા દુકાનદાર અને નોકર પર હુમલો કરી નાસી ગયા હતા. ત્યારે સુરત પોલીસે આ મામલે ગુનો નોંધીને ગણતરીના દિવસોમાં જ આરોપીઓને ઝડપી લીધા છે. ઝડપાયેલા બંને આરોપીઓમાં સંદીપ ડુંગરાણીએ રૂપિયાની જરૂર હોવાથી વતનથી તેના મિત્ર નિકુલ ભીંગરાડીયાને બોલાવીને ચોરી કરી હોવાનું ખૂલ્યું છે. બાદમાં બન્ને મિત્રોએ જ્વેલર્સને ત્યાં રેકી કરીને પછી લૂંટને અંજામ આપવાના હતા. જેમાં ચપ્પુથી હુમલો કરીને બંને નાસી ગયા હતા. ક્રાઈમ બ્રાંચે આરોપીઓને ઝડપી લઈને વાહન ચોરી સહિત વધુ એક લૂંટના ગુનાનો પર્દાફાશ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો  : મોટી ઘાત ટળી, અમદાવાદના દર્દીઓએ કોરોનાના નવા સ્ટ્રેનને હરાવ્યો


પોલીસે આરોપીને પકડવા ટીમ બનાવી હતી
કતારગામ પાર્થ કોમ્પ્લેક્સમાં પ્રસંગ જવેલર્સ આવેલો છે. જેમાં ત્રણ દિવસ અગાઉ લૂંટના ઇરાદે બે શખ્સો દુકાનમાં ઘૂસ્યા હતા. બંને લૂંટારુઓએ જ્વેલર્સને ઉપરાછાપરી ચપ્પુના ઘા મારી જીવલેણ ઈજાઓ કરી હતી અને ત્યાંથી નાસી ગયા હતાં. પોલીસે આ ગુનાઓમાં સંડોવાયેલ હોય તેવા આરોપીઓ પર વોચ રાખી પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવી હતી. ગુનો શોધી કાઢવા CCTV ફુટેજ, મોબાઈલ સર્વેલન્સ અને પોકેટકોપ મોબાઈલની મદદ લીધી હતી. જેમા બાતમીના આધારે હકીકત આધારે સરથાણા જકાતનાકા નવજીવન રેસ્ટોરન્ટની સામે વી.ટી. સર્કલ પાસે જાહેરરોડ પરથી આરોપી સંદીપ સુરેશભાઇ ડુંગરાણી અને નિકુલ ચકુરભાઇ ભીંગરાડીયા (લેઉવા પટેલ) ને પકડી પાડ્યો છે. બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો  : એપ્રિલ બાદ પહેલીવાર અમદાવાદ સિવિલમાં દર્દીઓની કુલ સંખ્યા 2 આંકડામાં જોવા મળી


અમેરિકામાં ગુજરાતીની હત્યા, બોલાચાલી બાદ અશ્વેત યુવકે મહેશ વશીનું ગળુ દબાવી દીધું


સુરતમાં બિહારરાજ 
જોકે, સુરત શહેર પણ ગુનાખોરીનો અડ્ડો બની ગયો છે. સુરતમાં ગુંડારાજ પ્રસરી રહ્યું છે. તેથી હવે સતત વધી રહેલા ગુનાઓ સુરત પોલીસ માટે ચેલેન્જિંગ બની રહ્યા હતા. ત્યારે હવે નાકે દમ કરનાર આરોપીઓને પકડવા સુરત પોલીસ માટે મહત્વનું બની ગયું છે. નહિ તો સુરતમાં બિહારરાજ થતા વાર નહિ લાગે.