ચેતન પટેલ/સુરત; સચિન વિસ્તારમાં એક 21 વર્ષીય યુવકની હત્યાને ઘટના સામે આવી છે. રાત્રે મિત્રો સાથે બેસેલા યુવકને બાઈક પર આવેલા બે મિત્રે ચા પીવા જવાનું કહીને લઈ ગયા બાદ મોતને ઘાટ ઉતાર્યો હતો. હાલ તો પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે મૃતકની સાથે જે મિત્ર હતો તેણે જણાવ્યું હતું કે દારૂના અડ્ડા પર મિટિંગ બાદ હત્યા કરાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 5 દિવસ છે ખુબ જ ભારે! જાણો હવામાન વિભાગે ચોમાસા અંગે શું કરી મોટી આગાહી!


સુરતના સચિન વિસ્તારમાં 21 વર્ષીય અક્રમ વસીમ હાસમી છેલ્લા પાંચ વર્ષથી રહેતો હતો. અક્રમનો પરિવાર વતન લખનવમાં રહે છે. જયારે અક્રમ અહી મિત્રો સાથે સચિન વિસ્તારમાં એકલો રહેતો હતો. આ સાથે પરિવારને આર્થિક મદદ કરવા માટે સોફા બનાવવાનું કામ કરતો હતો.મિત્ર આલોક રામે જણાવ્યું હતું કે, રાત્રે 11:30 વાગે પાંચ મિત્રો સાથે અક્રમ બેઠો હતો. ત્યારે અક્રમના બે મિત્રો જીતેન્દ્ર અને રાજુ બે બાઈક પર આવ્યા હતા અને ચા પીવા જવાનું કહેતા બાઈક પર ગયા હતા. અક્રમ અને તેના બે મિત્રો બધા જ નજીકમાં આવેલા દારૂના અડ્ડા પર ગયા હતા. જ્યાં અક્રમ અને તેના મિત્રો સહિતના વચ્ચે એક મિટિંગ થઈ હતી.


સ્ટેચ્યુ ઓફ યુનિટી:બસમાં CM, સાયકલ પર DGP અને ગુજરાતના IAS કરી રહ્યાં છે રિવરરાફ્ટિગ


વધુમાં જણાવ્યું હતું કે મિટિંગ બાદ બહાર આવેલા તમામ લોકોએ મને દૂર જતો રહેવા માટે કહ્યું હતું. ત્યારબાદ જીતેન્દ્ર અને રાજુએ અક્રમને ચપ્પુના ઘા માર્યા હતા. જેમાં પેટના ભાગેથી માંસના લોચા પણ બહાર આવી ગયા હતા. હું દોડીને પહોંચ્યો તો મારા પર પણ હુમલો કર્યો હતો ત્યારબાદ તેઓ ભાગી ગયા હતા. 


એક પ્રોગ્રામ માટે કેટલા રૂપિયા લે છે બાબા બાગેશ્વર. બાબાએ જણાવ્યો કાર્યક્રમનો ખર્ચ


ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા અક્રમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા સચિન પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી. ત્યારબાદ બે ઈસમો જીતેન્દ્ર અને રાજુ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. હાલ પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. 


'જો તું ચરિત્રવાન હોય તો પતિના મોત બાદ કેમ સતી થઈ નહિ', યુવતીએ નદીમાં ભૂસકો માર્યો


ઉલ્લેખનીય છે કે સચિન એપ્રલ પાર્કના ગેટ પાસે અક્રમની આરોપીઓ જીતેન્દ્ર અને રાજુ દ્વારા હત્યા કરવામાં આવી હતી. મરણ જનાર અને આરોપીઓ વચ્ચે ઝઘડો થતાં ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. બંને આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ કોઈ નાની મોટી તકરાર ને લઈને હત્યા કરવામાં આવી છે એવી આશંકા છે.


ઘાટલોડિયામાં વૃદ્ધની આત્મહત્યા, લાઇબ્રેરીના માલિકે એ હદે અપમાન કર્યું કે ભર્યું...