Surendra Nagar સુરેન્દ્રનગર : ગુજરાતમાં કોંગ્રેસની માઠી દશા બેઠી હોય તેમ આજે પણ એક કદાવર નેતાએ રાજીનામું ધરી દીધું છે. જેને પગલે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ રૈયાભાઈ રાજપૂતે રાજીનામું ધરી દીધું છે. રાજીનામામાં તેમણે મોટા આક્ષેપો કર્યા છે. સુરેન્દ્ર નગર જિલ્લાની 5 બેઠકોમાં કોંગ્રેસ પાસે દસાડા અને ચોટીલા બેઠક હતી. આ બેઠક પર કોંગ્રેસના જીતના ચાન્સ છતાં આ બેઠકો પર સ્થાનિક નેતાઓને વિશ્વાસમાં લીધા વિના ટિકિટ ફાળવણીને પગલે કોંગ્રેસે આ 2 બેઠકો ગુમાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરેન્દ્ર નગર જિલ્લામાં મૂકાયેલા પ્રભારીઓએ પણ સ્થાનિક નેતાઓની અવગણના કરતાં 2 બેઠકો પણ કોંગ્રેસે ગુમાવી છે. જેથી નારાજ થયેલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખે હવે આ પદ પર ન રહેવાનો નિર્ણય લીધો છે. જેને પગલે સ્થાનિક કોંગ્રેસમાંથી પ્રમુખ બાદ બીજા રાજીનામા પણ આવી શકે છે. 


આ પણ વાંચો : 


નવા વર્ષની ઉજવણી કરવાના હોય તો માંડી વાળજો, કડકડતી ઠંડીની ગુજરાતમાં છે આગાહી


કોરોનાએ ઉથલો માર્યો : સુરતમાં દૂબઈથી અને ભાવનગરમાં ચીનથી આવેલો પરિવાર કોરોના પોઝિટિવ


માસ્ક વિના ફરતા લોકો દુનિયાની એવી જગ્યા વિશે જાણો જ્યાં ગેસ માસ્ક વિના શક્ય નથી જીવન


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube