અમદાવાદ :કોબા ખાતે આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે વર્ષમાં એક જ વાર થતી અલૌકિક ખગોળિય ઘટના જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. અહીં વર્ષમાં એકવાર થતી ખગોળિય ઘટનામાં સૂર્યના કિરણો બપોરે જિનાલયમાં સ્થાપિત પ્રભુ મહાવીરની પ્રતિમા પર તિલક કરતાં હોય તેવું દ્રશ્ય સર્જાય છે. જિનાલય પ્રશાસન દ્વારા ભક્તોને આ ઘટના નિહાળવા વિશેષ વ્યવસ્થા કરાઈ હતી. આ ઘટના ક્લોઝ સર્કિટ કેમેરાથી જોઇ શકાય તેવી પણ વ્યવસ્થા પણ કરાઈ હતી.


Pics : કુદરતે આ ગુજરાતીને શરીરનું એક અંગ ન આપ્યું, પણ એક ‘સુપરપાવર’ છુટ્ટા હાથે આપ્યો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"216420","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Koba_Temple.JPG","field_file_image_title_text[und][0][value]":"Koba_Temple.JPG"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Koba_Temple.JPG","field_file_image_title_text[und][0][value]":"Koba_Temple.JPG"}},"link_text":false,"attributes":{"alt":"Koba_Temple.JPG","title":"Koba_Temple.JPG","class":"media-element file-default","data-delta":"1"}}]]


સર્જાય છે અલૌકિક દ્રશ્ય
અહીં જૈનોના ચોવીસમાં તીર્થકર શ્રી મહાવીરસ્વામીની શ્વેત આરસની પદ્માસન મુદ્રાની 41 ઇંચની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાઈ છે. 22મેના રોજ બપોરે 2 વાગીને 7 મિનીટે અહીં ભક્તો ભાવપૂર્વક મહાવીર પ્રતિમાને વંદન કરીને ‘ત્રિશલાનંદન વીર કી.. જય બોલો મહાવીર કી...’ ગાન કરતાં હતા. ત્યારે અચાનક ગર્ભગૃહમાં મહાવીરસ્વામીના લલાટ પર સૂર્યકિરણો પથરાતાં દેરાસર ઘંટારવથી ગાજી ઊઠ્યું હતું. સ્વયં સૂર્યદેવ મહાવીરસ્વામી પ્રભુની પ્રતિમા પર તિલક કરતાં હોય એવું એક અલૌકિક દ્રશ્ય રચાયું હતું. જે સુર્યતિલક તરીકે ઓળખાય છે. 


આ સેન્ટર પર કરાશે ગુજરાતની 26 બેઠકોની મતગણતરી, તમારા વિસ્તારની ક્યાં છે જાણવા કરો ક્લિક


છેલ્લાં 30 વર્ષથી અદભૂત સુર્યતિલક કોબાના જૈન મંદિરમાં એક જ દિવસે જોવા મળે છે. આ અદભુત સૂર્યતિલકની ઘટના ગુરુસ્મૃતિ અને ગુરુભક્તિનું અજોડ પ્રતીક બની છે. દર વર્ષે માત્ર આ સાત મિનિટ સુધી ભક્તોને આ નજારાને માણવા મળતો હોય છે, તેથી અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. જ્યારે દેશભરનાં જૈન તીર્થોમાં એકમાત્ર કોબાના જિનાલયમાં પ્રતિ વર્ષ આ અલૌકિક દ્રશ્ય રચાય છે.