હિમાંશુ ભટ્ટ, મોરબીઃ વિશ્વમાં એક માત્ર કહી શકાય તેવો ઝુલતો પુલ મોરબીમાં આવેલો છે. આ પુલ છેલ્લા ઘણા સમયથી રિપેરીંગ કામને કારણે બંધ હતો. પરંતુ હવે તેનું સમારકામ પૂર્ણ થઈ જતાં આ પુલ ફરી લોકો મ માટે ખુલ્લો મુકવામાં આવશે. નવા વર્ષથી ફરી લોકો આ પુલની મજા માણી શકશે. આજે પુલના સમારકામ બાદ એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં ઓરેવા કંપનીના એમડી જયસુખભાઈ પટેલે તેના વિશે માહિતી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજવી પરિવારે બનાવ્યો હતો આ પુલ
મોરબીના રાજવી પરિવાર દ્વારા ઝુલતો પુલ મચ્છુ નદી ઉપર બનાવવામાં આવ્યો હતો. જે સરકાર અને પાલિકા પાસેથી નિભાવ ખર્ચ સહિતની જવાબદારી સાથે ઓરેવા ટ્રસ્ટને આપવામાં આવેલ છે અને આ પુલ જર્જરીત હતો. માટે ઝૂલતો પુલ સાત મહિનાથી રિપેરીંગ માટે બંધ હતો. જો કે, બે કરોડના ખર્ચે પુલનું રીનોવેશન કાર્ય પૂર્ણ થતાં નુતનવર્ષ એટલે કે બેસતાવર્ષના દિવસે તેને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે તેવી જાહેરાત ઓરેવા કંપનીના એમડી જયસુખભાઈ પટેલે કરી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube