Gulabsinh Rajput Vs Swarupji Thakor બનાસકાંઠા : વાવ પેટાચૂંટણીમાં આખરે ભાજપ અને કોંગ્રેસના મુરતિયા ફાઈનલ થઈ ગયા છે. છેલ્લી ઘડીએ બંને પાર્ટીએ અસમંજસ વચ્ચે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી, તો ભાજપે સ્વરૂપજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા. જોકે, અહી નોંધનીય બાબત એ છે કે, ગુજરાતની આ વટવાળી ગણાતી બેઠક પર ભાજપ કોંગ્રેસ બંને પાર્ટીએ હારેલા ઉમેદવારો પર દાવ લગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુલાબસિંહ અને સ્વરૂપજી બંને હાર્યા હતા 
કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની વાત કરીએ તો, તેઓ વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં થરાદ બેઠક પરથી શંકર ચૌધરી સામે હાર્યા હતા. તો વર્ષ 2022 ની જ ચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોર ગેનીબેન ઠાકોર સામે હાર્યા હતા. તો હવે વાત એમ છે કે ભાજપ અને કોંગ્રેસે કેમ હારેલા ઉમેદવારો પર દાવ લગાવ્યો. 


કેનેડામાં ભયાનક કાર અકસ્માતમાં 3 ગુજરાતીઓના મોત, ટેસ્લા કારમાં ચાર લોકો સળગી ગયા!